SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ટોડ રાજસ્થાન, શ્રયદાતાને જ સર્વ નાશ કર્યો. ડેડ રજપુત માં એવું કુકૃત્ય કરનાર ચંડ નામને એક અધમ માણસ હતો. ચડે ખરા પાશવ ધર્મને અનુસરી, પિતાના ઉપકારી અને વિશ્વાસુ રાજકુળને માટે ધકકે માયો હતે. મંદવારના કીલ્લા ઉપર, પિતાની કુકીર્તિના દાખલા વરૂપ પડેડને નામાંકિત વાવટો તેણે ચઢાવી દીધું. તે ઘટનાથી પુરીહારકુળની અધોગતિ થઈ. પુરીહારરાજા અગાઉ રાણના નામે ઓળખાતા હતા. ગિબ્લેટ રાજા હુયે, મંદવાર ઉપર હુમલે કરી, પુરીહારવંશને હરાવી દીધું. ત્યારે પિતાના વિજયના ચિમાં, તે રાણાને ઈલ્કાબ પાછો ખેંચી લીધો હતો. પુરીહારવંશ, આજ ભારતવર્ષમાં ચારે તરફ વિસ્તૃત થઈ પડે છે. પણ દુઃખને અને પરિતાપનો વિષય છે જે તે વંશમાંથી કોઈએ નૃપતિનું સ્વાધીન જીવન ભેગવ્યું નહિ. કેહારી, સિંદ અને ચબળ નદીના સંગમ સ્થળે પુરી હાર રજપુતોનું હાલ એક વસવાટવાળું ગામ જોવામાં આવે છે. ચોત્રીશ ગામ અને નાનકડાં કેટલાંક ગામડાને એ ઉપનિવેશ છે. પુરીહારવંશનો તે જનપદ અગાઉ સીંધીયા સરકારના તાબામાં હતો. પણ હાલ બ્રીટીશ સીંહે તેને પોતાના વિરાટરાજ્યનો અનર્ગત કરી દીધું છે. પુરીહારકુળ એકંદર બાર શાખામાં વિભક્ત છે તે બાર શાખામાં ઈદો અને સીંધીલ વિશેષ પ્રસિદ્ધ છે. લુણીઝ નદીના તીરના પ્રદેશ ઉપર તે બે શાખાનું સામાન્ય નિદર્શન હાલ પણ જોવામાં આવે છે. સાર-એકવાર એ જાતિ ભારતીય ઈતિહાસમાં વિશેષ ખ્યાતિ મેળવી શકી છે. એકવાર તેના વિપુલ ગોધે ભારતવર્ષ અધિક ગેરવવાળું થયું હતું. ભારતના સીએ તેઓની કીર્તિ અને ગૌરવનાં ગાન વિશેષ હર્ષ અને આદરે કરે છે. પણ દુર્ભાગ્યવશે આજ ભારતવર્ષમાં કોઇ સ્થળે તેઓની કીર્તિનું ચિન્હ જોવામાં આવતું નથી. ભટ્ટના કાવ્યમાં જે સારકુળનું વિવરણ વાણિત ન હતા તે ભારતના ઈતિહાસમાંથી સ્રરકુળનું મહનીય નામ લેપ પામત–સારકુળની ઉપતિનું વિવરણ અમારાથી અવિદિત છે કારણ કે ચંદ્રવંશમાં અને સૂર્યવંશમાં તેના નામને ઉલેખ જોવામાં આવતું નથી. તેથી કરી મહાત્મા ટેડ સાહેબે, તેઓને શાકવંશીય કહેલ છે.. * જે પુરીહાર રાજાને હરાવી, રાહુયે “ રાણા ” ની ઉપાધિ લઈ લીધી, તે રાજાનું નામ મફલ. * મારવાડ રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એ નદી પ્રવાહીત થઈ વહી જાય છે, - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy