SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] કુરપાલ અને સેનપાલ એ જ રાયરામાં”નું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યો હતો, અને સામ્રાજ્યના દીવાન પછીનો “મીર સામાન” (Major-domo)નો ઉચ્ચ હોદ્દો તે ધરાવતો હતો, જે તેને અમાત્ય કહેવા માટે પૂરતો હતો. એ પછી બીજે જ વર્ષે (સં. ૧૬ર માં) સોનપાલને જોઇ પુત્ર રૂપચંદ અમદાવાદમાં મૃત્યુ પામ્યો અને તેની ત્રણે પત્નીએ તેની પાછળ સતી થઈ એમ તેમના પાળિયા ઉપરથી સિદ્ધ થાય છે. એ વખતે તેમનું કુટુંબ પ્રાયઃ કઈ રાજકાર્ય અંગે આગરાથી અમદાવાદમાં આવીને વસ્યું હોય. ઈ. સ. ૧૬૧૮માં સુંદર ગુજરાતના અધિકાર પદે નીમાય, તે પહેલાં કુંવર ત્યાં દીવાનપદે રહી ચૂક્યો હતો એમ જહાંગીર તેના આત્મવૃત્તાંતમાં નોંધે છે. એ અરસામાં રૂપચંદ પણ અમદાવાદમાં હશે એમ માનવામાં વાંધો નથી. ટૂંકમાં, જેન–ગ્ર માં કુરપાલ સોનપાલ વિષે પર્યાપ્ત પ્રમાણમાં, કડીબદ્ધ વિગતો .લેખાયેલી હોય અને સં: ૧૬૭૧ પછી તેમનો ઉલલેખ સુદ્ધાં ન હોય તે માટે ઉપયુક્ત કારણ સિવાય અન્ય સંતોષકારક ખુલાસે શું હેઈ શકે? વસ્તુતઃ પ્રસ્તુત અનુમાન નને પ્રતિપાદિત કરવા માટે આ બાબત ઘણી જ વજનદાર ગણાવી જોઈએ. વાંધાઓ રત્નમણિરાવે પિતાના મંતવ્યના સમર્થનમાં પ્રમાણપુર સર દલીલ રજૂ કરી તેમાં કેટલાક વાંધાઓ પણ તેની વિરુદ્ધમાં જણાવ્યા. તેઓ નોંધે છે કે –“પરંતુ કુંવર અને સુંદર એ બે ભાઈઓના જહાંગીરના આત્મચરિત્રમાં આપેલા વર્ણન સાથે કુરપાલ સોનપાલનું વૃત્તાંત જેવું મળતું આવે છે, તેવા કેટલાક વાંધા પણ એ સામ્યમાં આવે છે. જહાંગીરના સમયમાં રાજા વિક્રમજન નામના ઈલકાબવાળા ત્રણ પુરુષો જણાય છે. એક પત્રદાસ રાજા વિક્રમા છત, બીજે સુંદદાસ વિક્રમાજીત, અને ત્રીજો બાંધુ અગર માંધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy