SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કુંવરદાસ અને સુંદરદાસ હતા? [ ૫૯ સમક્ષ બીજા પ્રકરણમાં જણાવેલાં મોટા ભાગનાં પ્રમાણે નહેતાં અને એટલે તેઓ એ સંદર્ભમાં આ વિષયને સમય-કમની દષ્ટિએ ન ચકાસી શકે એ સ્વાભાવિક છે. એટલે એ વિશે પણ થોડું જણવવું આવશ્યક બને છે. સં૧૬૭૧ માં આગરામાં યાદગાર પ્રતિષ્ઠા થઈ એ પછી કુરપાલ સોનપાલ વિશે જૈન ગ્રન્થમાંથી ક્યાંયે ઉલ્લેખ પ્રાપ્ત થત નથી એ ઘણું સૂચક છે. તે પહેલાં (ઈ. સ. ૧૬૧૫ ની ફેબ્રુઆરી) સુંદરને મેવાડની વિષ્ટિમાં અસાધારણ સફળતા મળતાં તેણે રાજકારણમાં સક્રિયપણે ઝંપલાવ્યું હતું. માત્ર તેમણે બેએક વર્ષ પહેલાં આરંભેલાં બન્ને જિનાલયનું નિર્માણ તથા તેમાં જિનબિંબ પ્રતિ આદિ કાર્યો બાકી રહ્યાં હતાં, જે સં૦ ૧૬૭૧ માં સંપન્ન થતાં, તેઓ બન્ને ભાઈઓ વિવિધ રાજકાર્યો અંગે જુદે જુદે સ્થાને ફરતા રહ્યા એમ માની શકાય. સમેતશિખરનો સંઘ સં. ૧૬૬૯ માં નીકળ્યો, એ પછી કુરપાલ સેનપાલને જહાંગીરે સન્માન્યા એ વિશે કહેવાઈ ગયું છે. એ પછી તેમને મેવાડના વિજયની સંધિની વાટાઘાટમાં શાહીપક્ષે ભાગ લેવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય અને એનપાલ ત્યાં ગયો હોય એવું સંગત–પ્રતીત થાય છે. ગમે તેમ હોય, પણ એક વાત ચોક્કસ છે કે મેવાડ વિજ્ય પછીની આગરાની શિલા-પ્રશસ્તિમાં તેમને હાંગીરના અમાત્ય કહ્યા છે. એમને જે કુંવરદાસ અને સુંદરદાસ માનવામાં આવે તો સુંદર એ વખતે (સં. ૧૬૭૧)માં : “સમેતશિખર રાસ’માં જણાવાયું છે કે સેનપાલને સંઘ કાઢવાને વિચાર આવેલે. કંરપાલે કહ્યું “સુંદર વિચાર ! હજી બિંબપ્રતિષ્ઠાને પણ વાર છે.” આ પરથી સ્પષ્ટ થાય છે કે આગરાનાં બને જિનાલનું-નિર્માણ કાર્ય સં. ૧૬૬૯ માં સંધ નીકળેલ ત્યાર પહેલાં ચાલતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy