SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૩ ૪૮૧ તો, પછી દેવતાએ છત આચાર તરીકે કરેલી મૂર્તિપૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમ જ ફરમાવ્યું છે. છતાં જે છત આચારથી પુણ્ય કે પાપ કાંઈ ન થવાનું કહેશે તે શાસ્ત્રમાં “જીવ સમય સમયમાં સાત કે આઠ કર્મ બાંધે” એમ કહ્યું છે તે કેમ મળતું આવશે? કદાચ કહેશે કે–પાપ બંધ થાય. તે તે કહેવું તદ્દન જુદું છે. કારણ કે ભગવાને તો એ કરણનું મેક્ષ ફળ બતાવ્યું છે. વળી પૂજા વખતે દેવો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે તે તેવા શુભ ભાવનું ફળ ઊલટું અશુભ મળે એ શું ઘટિત છે ? કદી નહિ, ભક્તિ કરતાં મનુષ્યને તે પુર્ણ થાય અને દેવતાઓને કર્મબંધન થાય એ કેવળ મનના યથેચ્છ પ્રલાપ સિવાય બીજું કંઈ નથી. પ્રશ્ન ૨૨–દેવે તે આખી જિંદગીમાં એક જ વાર મૂર્તિપૂજા કરે છે પછી નહિ. તથા સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ બને વર્ગના દેવે તેમ કરતા હોવાથી તે જીત આચાર જ કહેવાય. તેને શુભ કરણું કેમ કહેવાય? ઉત્તર–શ્રી રાજકશ્રીય સૂત્રમાં સૂર્યાભદેવે જ્યારે પૂછ્યું કે – મારે પહેલાં તયા પછી હિતકારી અને કરવા ગ્ય શું છે?” ત્યારે તેને સામાનિક દેવેએ કહ્યું કે– તમારે પહેલાં અને પછી શ્રી જિનેશ્વર ભગવાનની અર્ચા, વેદના, પયું પાસના હિતકારી અને કરવા ગ્ય છે. આ ઉપરથી સમષ્ટિ સૂર્યાલ આદિ દેવોએ શ્રી જિનપ્રતિમાની અર્યાવંદના નિત્યકરણી તથા હિતકારી સમજી નિરંતર કરી છે. એમ સમજવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy