SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મૂળ જૈન ધર્મ અને ચોક્કસપણે કહે છે કે ઘનિયુકિતમાં એ પાઠ જ નથી. એટલે દ્રૌપદી લગ્ન પહેલાંથી જ સમકિતી હતી એમ સમજી શકાય છે. “જિન પ્રતિમા જિનસરિખી” એ મૂર્તિપૂજકેને મુદ્રાલેખ છે. જિન ભગવાનને કોઈ સ્ત્રી અડી ન શકે તે સૂવથી, સિદ્ધાંતથી સિહ વાત છે. જિનપ્રતિમા જિન સરિખી છે તે જિન પ્રતિમાને પણ સ્ત્રી અડી ન શકે એ સમજી શકાય તેવી વાત છે. છતાં દ્રૌપદીએ જિનપ્રતિમાને હરાવવા વગેરેની વાત છે એટલે દ્રૌપદી મૂર્તિને અડીને જ તે બધું કરી શકે તે તે નકકી જ. ત્યારે “આ તે સ્થાપનારૂપ છે માટે સ્ત્રી અડી શકે” એમ કહેવું તે કેટલું ન્યાયસંગત છે તે વાંચકે સહેલાઈથી સમજી શકશે. મતલબ કે દ્રૌપદીએ મૂર્તિ પૂજા કરી જ નહોતી પણ સ્નાનગૃહમાંના મૂર્તિના ઓરડામાં કે જેને જ જિનધર કહેતા હોય તો તે સંભવિત છે ત્યાં દ્રૌપદીએ મૂર્તિને વંદન નમસ્કાર કર્યા હતા, વખતે પ્રાર્થના પણ કરી હેય. મૂર્તિ પૂજા નહેતી તેનાં દૃષ્ટાંત પ્રાચીન કાળમાં મૂર્તિપૂજા નહતી તેના શાસ્ત્રીય દાખલા પણ છે, જેમ કે – ભરત ચક્રવતીની ઈચ્છા થઈ અને અષ્ટાપદ ગિરિ ઉપર ભગવાન ઋષભદેવના અગ્નિ સંસ્કારના સ્થાન ઉષર “સિંહ નિષદ્યા” ચૈત્ય બનાવી દીધું. અને ઋષભાદિ તીર્થકરોની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરીને ચિરસ્થાયી સ્મારક બનાવી પિતાનું કર્તવ્ય પૂરું કર્યું. ન તેની પૂજા વ્યવસ્થા માટે કઈ ગામ ગરાસ દીધે, ન પૂજારિઓને બંદોબસ્ત કર્યો. “ભારતના વંશ જ સગર ચક્રવતીના પુત્રોએ પોતાના પૂર્વજોની કતિને ચિરસ્થાયી અને સુરક્ષિત બનાવવા માટે તેના મા દુર્ગમ બનાવ્યા. અને ફરતી ખાઈ ખાદીને પર્વતને દુરાગ્રહ બનાવ્યું. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy