SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૨ ૧૫૭ પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રએ જ્ઞાતા સૂત્રની આઠ વર્ષ પહેલાંની પ્રતિ ઉપરથી પૂરવાર કર્યું હતું કે એ પાઠ પ્રક્ષિત છે. કારણ કે તે આઠસો વર્ષની જૂની પ્રતિમાં તે તે પાઠ જ નથી. દેવોની પૂજાની વિધિ ફક્ત રાજપ્રશ્રીય તથા વાભિગમ એ બે સૂત્રોમાં જ બતાવેલ છે. અને એ બંને સૂત્રો તે ભ. મહાવીરના નિર્વાણ પછી પણ પાંચ સાત સૈકા પછી જ બનેલા છે. એટલે તેમાં જે પૂજા વિધિ આપેલ છે તે તો અહીં ભારત વર્ષમાં તે વખતે જે પૂજાવિધિ પ્રચલિત થઇ ગઈ હતી, તેનું વર્ણન કરેલું હોય તે સ્વાભાવિક છે. બાકી દે મહા વિનયી અને વિવેકી હોય છે. તેઓ તીર્થકર ભગવાનના સમવસરણેમાં પણ જતા હોય છે. અને તેને ઉપદેશ સાંભળતા હોય છે. તેથી પ્રજા એટલે શું ? અને ભગવાનની પૂજા કેમ થાય? તે પણ તેઓ સારી રીતે જાણતા હોય છે એટલે વીતરાગ ભગવાનને કપે નહિ તેવી વસ્તુ ભગવાનની પ્રતિમા પાસે ધરીને ભગવાનની આશાતના થાય એવી સાવધ પ્રકારની દ્રવ્યપૂજા દેવે કરે એવી વાત તે કદી માની શકાય નહિ. એટલે પણ વંદન નમસ્કાર વગેરે ભાવપૂજા જ કરે છે. એમ જ માની શકાય, ઉવવાઈ સવમાં પૂજાને દાખલો મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજકે ઉવવાઈ સૂત્રમાં મારા વંશત્તિ, સારા પૂવળવત્તર એ પાઠને ઉલ્લેખ કરીને કહે છે કે તેને અર્થ વંદન કરવાને તથા પૂજન કરવાને એમ થાય છે અને પૂજા તે પુષ્પ આદિ દ્રવ્યોથી જ થાય એટલે મૂર્તિ પૂજા સાહ ભાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy