SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ અહીં કોઈ તર્ક કરીને એમ કહે કે મુનિના મૃતદેહના દર્શન કરે છે પણ વંદન કરતા નથી. તે તે વાત તદ્દન બેટી છે. કારણ કે દર્શન કરતી વખતે વંદન કરવામાં આવે છે એ સત્ય હકીક્ત છે. છતાં આપણે તકને જવાબ તકથી જ આપીશું. મુનિના મૃતદેહના દર્શનને હેતુ શે? જો એમ કહેશે કે જોવા માટે, કુતુહલ માટે કે દેહનું રૂપ જોવા માટે દર્શન કરવા જવાય છે; તો તે તે મોહની ક્રિયા થઈ અને તે અપ્રશસ્ત હેવાથી ધર્મમાં તેને નિષેધ છે. ત્યારે કહેવું પડશે કે મુનિ તરફના પ્રેમભાવથી તેમના મૃતદેહના દર્શન કરાય છે. તે તે પ્રેમ મુનિ તરફના પૂજ્યભાવને લીધે હાઈ પ્રશસ્ત છે અને તેવા પ્રેમમાં પૂજ્યભાવ સામેલ હેવાથી સ્વાભાવિક રીતે જ દર્શનની સાથે વંદન પણ કરાય છે જ. અને વંદન નહિ કરનારમાં પૂજ્ય ભાવ નથી તેમજ વિનય વિવેક નથી એમ જ ગણાય છે. એટલે સ્થાનકવાસી સાધુઓના મૃતદેહરૂપ મૂર્તિને વંદન કરવાનું સ્વીકારે છે અને તેમાં ધર્મ પણ માને છે જ. સ્થા. મુનિઓનું માનસ મૂર્તિવંદન સ્વીકારે છે તેને દાખલ ફોટા-ચિત્રો મૂર્તિ સ્વરૂપ હેઈને સ્થાનકવાસી શ્રમણ સંધે સાધુઓને ફોટા પડાવવાની કે છપાવવાની છૂટ આપી નથી એમ મારા ધ્યાનમાં છે. તે પણ સ્થાનકવાસી શ્રમણસંધના મુનિઓ ફેટા પડાવે છે અને તેમના પુસ્તકમાં છપાવે છે એ તે સત્ય હકીકત છે. તેવા ફોટા ચિત્રાવાળા છપાયેલા પુસ્તકે સાબિતીરૂપે મોજુદ છે. તેમાં એક દાખલે અને ટકું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy