SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૫ ) અધૈર્ય કેમ રાખા છે ? આ શિતથી હણાયેલા પુરૂષ એક રાત્રી સુધી જીવે છે. માટે જ્યાં સુધી રાત્રિ વહી ગઇ નથી ત્યાં લગી કંઈપણ ઉપાય કરીને લક્ષ્મણના માટે ઇલાજ કરા ? ” વિભીષણે કહ્યું. "" વિભીષણનાં એવાં વચન સાંભળીને રામે તે પ્રમાણે તેયારી કરવા માંડી. એટલે સુગ્રીવાદિ કવિઓએ વિદ્યાના ખળથી રામ-લક્ષ્મણની ચાતરમ્ ચાર ચાર દ્વારવાળા સાત કીલ્લા કર્યો ને પૂર્વ દિશાના દ્વારપર સુગ્રીવ, હનુમાન, તર, કું ૪, દષિમુખ, ગવાક્ષ અને ગવય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, કુ, અંગ, મહેંદ્ર, વિહંગમ, સુશેષ ને ચંદ્રરશ્મિ અનુક્રમે રહ્યા. પશ્ચિમદિશાના દ્વાર ઉપર નીલ, સમરશીલ, દુર, મન્મથ, જય, વિજય ને સંભવ રહ્યા અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજીત, નળ, મેદ અને વિભીષણ રહ્યા. એવી રીતે રામ અને લક્ષ્મણને વચમાં રાખીને સુગ્રીવ વગેરે રાજાએ જાગૃતપણે રક્ષણ કરવામાં સાવધ રહ્યા. આ અવસરે કાઇએ સીતાજીને લક્ષ્મણ મૂતિ થયાના સમાચાર આપ્યા અને કહ્યું કે “ રાવણની વિજ્યા શક્તિથી લક્ષ્મણુ હણાયલા છેને રામચંદ્રજી પ્રાત:કાળે ભાઇના સ્નેહથી મૃત્યુ . પામશે. ” વજ્રથી પણ ભયંકર એવી કઠેર વાણી સાંભળીને પવનથી હણાયેલી લતાની જેમ સીતાજી મૂર્છા પામી પૃથ્વી ઉપર પડી ગયાં એટલે વિદ્યાધરીઆએ જળ સિ’ચીને એમને સાવધ કર્યાં. સાવધ થયેલાં સીતા કરૂણ સ્વરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy