SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) વાથી રાવણે એનું ગૌરવ વધાર્યું, પણ એ મહાભૂજ સહસ્ત્રાંશુએ પુત્રને ગાદી આપીને વત ગ્રહણ કર્યું. તે સમયે સાથે દીક્ષા લેવાના વ્રતવાળા અયોધ્યાના પતિ અનરણ્ય રાજાએ પણ પોતાના પુત્ર દશરથને ગાદી ઉપર સ્થાપી દીક્ષા લીધી. તે પછી નારદના કહેવાથી રાવણુ રાજાએ યજ્ઞમાં છને વધ કરનાર મરૂતરાજાને જીતીને મથુરામાં આવ્યું. ત્યાંને રાજા હરિવાહના પુત્ર સહીત રાવણની સામે આવ્યા ને ભેટયું મુકીને નપે. - દિવિજય કરતાં રાવણને લંકા છેડયાને અઢાર વર્ષ વહી ગયાં. પૃથ્વી દબાવનાર ઈદ્રના દિગપાલ નલકુબેરને પણ એણે દબાવ્યા. અહીંયાંથી એને આશાળી વિદ્યા પ્રાપ્ત થઈ. સુદર્શન ચક્ર મળ્યું. તે પછી જગતને જીતવાને સમર્થ રાવણ રથનુપુર ઉપર ચડા. ઈદ્રની સાથે મહાભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં ઈંદ્રને જીતીને પાંજરામાં પુરી દીધો. એવી રીતે ઈદ્રને જીતીને રાવણ વતાયની બને એણિઓને નાયક થઈને લંકામાં ગયે. ઇંદ્રના પિતા સહસ્ત્રાર પરિવાર સહીત લંકામાં આવી રાવણને નમ્યો ને પુત્ર ઇંદ્રને રાવણની શરતો માન્ય કરાવી છુટે કરાવ્યા; પરંતુ એ પરાક્રમી ઇંદ્ર પોતાના પુત્ર દત્તવીર્યને ગાદી ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયે. વરૂણ રાજાએ રાવણની આજ્ઞા નહી માનવાથી તેને જીતવાને વતાયગિરિ ઉપર આવેલા આદિત્યપુરના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy