SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વીને શ્રીકંઠને આપી દીધું. ત્યારથી શ્રીકંઠ વાનરદ્વિપને અધિપતિ થયે. કિકિંધ પર્વત ઉપર શ્રીકંઠે ઘણું વાનરે મોટા શરીરવાળા અને મનહર ફળો ખાનારા જોયા. રાજાને વાનરો ઉપર પ્રીતિ થવાથી લેકમાં પડહ વગડાવ્યું કે “કેઈએ વાનરેને મારવા નહી. બલકે એને અન્ન-પાછું આપતા રહેવું.” જેથી લોકો વાનરે ઉપર પ્રીતિ કરવા લાગ્યા. કેમકે “યથા રાજા તથા પ્રજ’ એ પ્રમાણે ત્યાંના લોકે ચિત્રમાં, ધજાઉપર, છત્રોમાં અને વાસણ ઉપર પણ વાનરનાંજ ચિત્ર ચિતરવા લાગ્યા. પિતાના કપડામાં પણ વાનરની છાપ રાખવા લાગ્યા. જેથી વાનરના ચિન્હવડે તેમજ વાનરદ્વિપના રાજ્યવડે ત્યાંના રહેવાસી વિદ્યાધરો અને મનુષ્ય વાનર એ નામથી જગતમાં વિખ્યાત થયા. અને રાક્ષસી વિદ્યાવડે કરીને રાક્ષસદ્વિપ થકી ત્યાંના વિદ્યારે રાક્ષસ તરીકે વિખ્યાતિ પામ્યા. અનુક્રમે શ્રીકંઠ પિતાના પુત્ર વાકંઠને કિકિંધાનું રાજ્ય આપીને દિક્ષા લઈ મેક્ષે ગયો. તે પછી તેના વંશમાં અનેક રાજાઓ થયા. છેલ્લાં મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ઘનેદધિ નામે રાજા થયે. રાક્ષસદ્વિપમાં પણ કીર્તિધવલ પછી ઘણા રાજાઓ થયા અને મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ઘોદધિને સમવયસ્ક તડિકેશ નામે રાજા થયે. પરંપરાએ મિત્રાચારી પણ તેમની અવિચિછન્નપણે ચાલી આવતી હતી. તડિકેશ પછી લંકાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy