SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩) એક રથ તૈયાર કર્યો. પોતે કુટુંબિક બનીને પર્વત ઉપરથી ઉતરતા એવા રથને એણે ભાંગી નાખ્યા પછી એ પત્થરના ભાગેલા રથને સાંધવાની મહેનત કરવા લાગ્યા. રસ્તામાં એને પાષાણુને રથ સાંધતો જાઈને બલરામ બોલ્યા. “અરે મુખ! વિષમગિરિ ઉપરથી ઉતરતાં જેના ખડખંડ ટુકડા થઈ ગયા છે. એવા આ પાષાણના રથને તું શું સાંધવાને ઇચ્છે છે?” બળરામની વાણી સાંભળીને દેવતા છે. હે મહાપુરૂષ! “હજારે યુદ્ધમાં નહી હણાયેલ પુરૂષ યુદ્ધ વિના મરી જાય. અને તે જે પાછો સજીવન થાય તો આ મારો રથ પણ અવશ્ય સજ થાય.”દેવતાની એવી વાણું સાંભળતાં પણ બળરામે કાંઈ ગણુકાયું નહી, ને આગલ ચાલ્યા. આગળ ચાલતાં બળરામે એક સામાન્ય જે જાતે પુરૂષ જે, જે પાષાણ ઉપર કમલનું વાવેતર કરતે હતે. એને જોઈને બલરામ બોલ્યા? “ભલા માણસ! શું પાષાણુ ઉપર તે કમલે ઉગતાં હશે? તું નકામી આવી ખાટી મહેનત કેમ કરે છે?” “આર્ય ! તમે તે બીજાનીજ ભુલે જોતા લાગે છે. તમારી પુંઠલ દવ લાગી રહ્યો છે એને તો તમે જોઈ શક્તા નથી. પરોપદેશે પાંડિત્ય ! “દેવતાએ કહ્યું. કેમ વારૂ! શું હું ખોટું કહું છું ? “બલરામ બોલ્યા.” “ખોટું નહીતો ત્યારે સાચુ? જુઓ તમારી ખાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy