SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ ગણીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણમાત્રમાં સર્વે રાજાઓને એ રથીએ જીતી લીધા. ને તેમને જાનૈયા બનાવી દશરથ રાજા કૈકેઈને પરણ્યા. કૈકેયીની રથ હાંકવાની ચાલાકી જેઈને દશરથે એને વર માગવાને કહ્યું કેકેયીએ વચન લઈને જ્યારે સમય આવશે ત્યારે માંગીશ” એમ કહીને પતાવ્યું. " શત્રુઓના સિન્યને લઈને દશરથ રાજા મગધ દેશમાં ગયે. ત્યાંના માગધપતિને જીતી લઈ રાજગૃહમાં ગાદી સ્થાપીને રહ્યો અને અયોધ્યાથી અપરાજીતા વગેરે સ્ત્રીઓને પણ ત્યાં બેલાવી લીધી. ચારે રાણુઓ સાથે ભેગગવતાં એ રાજાને સુખમાંજ કાલ વ્યતીત થતો હતો. કાળાન્તરે દશરથ રાજા પરિવાર સહિત અધ્યામાં આવીને રહ્યા. અન્યદા અપરાજીતા-કેશલ્યા રાણીએ રાત્રિના શેષ ભાગે બળભદ્રના જન્મને સૂચવનારાં, હાથી, સિંહ, ચંદ્રને સૂર્ય એ ચાર સ્વપ્ન જોયાં. તે સમયે કોઈ મહદ્ધિક દેવ પાંચમા બ્રહ્મદેવલોકમાંથી ચવીને કૌશલ્યાની કુખમાં ઉત્પન્ન થયે પૂર્ણ માસે સંપૂર્ણ લક્ષણવાળા પુત્રને અપરાજીતાએ જન્મ આપે. રાજાએ “પ” એવું એનું નામ પાડયું છતાં લોકમાં તે રામ એ નામથી પ્રખ્યાત થયા. પંદર હજાર વર્ષના આયુષ્યવાળે એ પુત્ર સાભાગ્યપણથી જગતને વલ્લભ ધો. એક દિવસ સુમિત્રારાણુએ શેષ રાત્રિને ભાગે સાત સ્વપનાં જોયાં. હાથી, સિંહ, ચંદ્ર સૂર્ય, અગ્નિ, લક્ષ્મી ને સસુદ્ર. એ સાતે અનુક્રમે જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy