SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - -- - - - - - -- - - - -- ઈશુ ખ્રિસ્તનું અસ્ત જીવને મંડળની દેખરેખ હેઠળ પિતાનું ઉપદેશકાર્ય કરવા લાગ્યો. આ અરસામાં જુદે જુદે સમયે અને સ્થળે તે પોતાના શિષ્યોને દશ વખત મળે. આ મેળાપોને છંછલોમાં ઈશુના સજીવન થયા પછીનાં વારનાં દર્શને લેખવામાં આવ્યાં છે. પછી પર્યટન કરતાં કરતાં ઇશુ સમુદ્રકિનારાપરના એક સ્થળે પોતાના કુદરતી મેસેજ મરણ પામે અને તે જ સ્થળે તેના શબની દફનક્રિયા કરવામાં આવી. ઈશુના મૃત્યુ પછી તેના ચમકારાની અને ખાસ કરીને તેના પુનર્જીવનને લગતા ચમત્કારની વાત ખૂબ ફેલાવા લાગી. ધીમે ધીમે એ વાતો છેક મિસર લગી પહોંચી. આ સાંભળી એલેકઝાંડ્રિયામાં આવેલા ગુપ્ત મંડળના એક ઈસીરે જેરૂસલેમના ગુપ્ત મંડળના ઇસીરને એક પત્ર લખી ઈશુના ચમત્કારો વિષે ખરી હકીકત પૂછવી. તેના ઉત્તરમાં જેરૂસલેમના ઇસારે જે પત્ર લખેલે તેમાં “ઈશ કુશારોહણ પછી જીવતો હતો અને નિકેદમસની સારવારથી સાજે થયા પછી તે કેટલોક કાળ જીવ્યો પણ હતો” એવું જણાવેલું છે. આ પત્ર કેવી રીતે મળી આવ્યા તે સંબંધી ઉપયુંકા પુસ્તકમાં જણાવવામાં આવે છે કે, એબીસીનિયાના એક વેપારીને એલેકઝાન્ડ્રિયાના કોઈ પુરાણું ઘરમાંથી એક જુપુરાણે પત્ર મળી આવ્યો. એ ઘરમાં પહેલાં કેટલાક જર્મન વેપારીઓ રહેતા હતા, જેએએ એ મકાનમાં પિતાનું પુસ્તકાલય રાખ્યું હતું. જતી વખતે તેઓ એ પુરાણ પત્ર સાથે લઈ જવો ભૂલી ગયા. આ પત્ર જ્યારે હાથ લાગ્યો ત્યારે કાંસના એક વિદ્યાનુરાગી સજજને તે પત્રને સાર છાપાંઓમાં પ્રકટ કરાવ્યું. પત્ર મૂળ લેટિન ભાષામાં લખાયેલો હતો તેને પ્રકાશમાં આવતા અટકાવવાને ખ્રિસ્તી પાદરીઓએ પુષ્કળ પ્રયાસ કરેલા; છતાં અનેક વિટંબણાઓ પસાર કરીને એ પત્ર આજેયે વિદ્યમાન રહ્યો છે ! પત્ર પરથી આપણને માલૂમ પડે છે કે, ઈશુ જેરૂસલેમના ગુપ્ત મંડળના સભાસદ હતો. આ અને બીજી અનેક વાતો તેમાં જણાવેલી છે, જે બધીની સચ્ચાઈ વિષે ઇસીરાનું સત્યાચરણ જોતાં બિલકુલ શંકા રહેતી નથી. આ પ્રમાણે નાવિશ મહાશયના પુસ્તક પરથી અને જેરૂસલેમના ગુપ્ત મંડળના ઈસીરે લખેલા પત્રપરથી આપણને ઈશુના અજ્ઞાત જીવન સંબંધી નીચે મુજબની નવી માહિતી મળે છે - ઈશુ બાળપણથી જ શિક્ષણ લેવાને માટે હિંદુસ્થાનમાં આવેલો. તેણે અહીં વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરેલું અને આ બને ધર્મોનું પૂરું જ્ઞાન મેળવ્યા પછી તે પોતાની યુવાવસ્થામાં જેરૂસલેમ પાછો ગયેલો. ત્યાં જઈ તે ગુપ્ત મંડળમાં દાખલ થયેલો અને એ મંડળના નિયમોને અનુસરીને તે પોતાના સિદ્ધાંતોનો લોકસમુદાયની અંદર પ્રચાર કરવા લાગ્યો. આથી તે પૂજારીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy