SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ - - - - - - - - -- - - - - - - -- - - -- - - -- - - - - -- શુભસંગ્રહ-ભાગ ૧ જોઈએ છે, વિલાસના ને મર્દાનગીહીન મંજશેખના અનુરાગી, માયકાંગલા તરુણેને આ યુગ નથી. બ્રહ્મચર્ય અને વ્યાયામના ખેરાકથી વજુકાય બનેલા, સાદા ને સેવાભાવી જીવનથી પ્રેરણા પીને જનતાના સાચા સેવક થયેલા યુવકવરેની જનની રાહ જુએ છે. ઉઠે તરણે! જીવનમાં આ મહાશક્તિ રેલાવવા કમ્મર કસે. ૮૩–જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ગંગાકિનારે શામાટે ખેદ છે? મારૂં હદય એટલું બધું ભરાઈ આવ્યું છે કે, મારી લાગણી શબ્દધારા બતાવી શકતો નથી. જ્યાં સુધી કરોડો માણસે ભૂખ અને અજ્ઞાનમાં જીવન ગાળશે, ત્યાં સુધી જે માણસ તેઓના ખર્ચે ભણ કેળવાયેલ બન્યા છતાં, તેમના તરફ થેડામાં થોડું પણ લક્ષ આપતો નથી, તેવા દરેક માણસને હું દ્રોહી ગણું છું. જે ધનવાને ગરીબને ઘાણ વાળી પૈસા મેળવી પિતાના ઠાઠમાઠવાળા પિષાકમાં આમતેમ હરે ફરે છે, તેમને-જ્યાં સુધી ભૂખે મરતા, જંગલી કરતાં જેની સ્થિતિ કેઈ પણ રીતે ચઢીઆતી નથી એવા; વીસ કરોડ માણસને માટે કંઈ પણ કરતા નથી, ત્યાં સુધી હું દુષ્ટ ગણું છું. x x x જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી ન શકે, અથવા માબાપવગરનાં નિરાધાર બાળકના મુખમાં એક રોટલીને કટકો મૂકી ન શકે; તેવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી. ગમે તેટલાં ઉમદા ધર્મતો હોય, ગમે તેટલું સુગંધિત તત્ત્વજ્ઞાન હોય છતાં જ્યાં સુધી તે પુસ્તકમાં જ છે અને મુખમાત્રથી ચર્ચાનો વિષયરૂપ છે-એટલે કાર્યમાં ઉતરેલ નથી, ત્યાં સુધી હું તેને ધર્મ કહેતો નથી. ક મ * “મારો ધર્મ એમ કહેવામાં તમે મગરૂરી લ્યો છો તે ધર્મને કાર્યમાં મૂકે, પ્રભુ તમારું કલ્યાણ કરશે. * * * * * * શું તમે તમારા જાતિભાઈઓ પર પ્રેમ રાખો છો? ઈશ્વરને શેધવા તમે કયાં જાઓ છે? ગરીબ, દુઃખી અને નિર્બળ બંધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy