SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના નગરીના ઉધાનમાં આવેલા જાણી મંત્રી સુબુદ્ધિ નગરને અનુપમ રીતે શણગારે છે. તેમજ નગરની સ્ત્રીઓ કુમારને જોવાથી તે આનંદ અને એક બીજી આપતી ઉપાલંભે તેમજ નગરનું પ્રવેશ વર્ણન ગ્રંથકર્તાશ્રીએ અહિ પલ વાંચવા જેવું (પા. ૧૩૩) છે. - કુમાર પિતાના મહેલમાં આવતાં પહેલાં શ્રી જિનેશ્વર દેવની પૂજા, ચૈત્યવંદન કરી, યાચકવર્ગને ધન આપી મહેલમાં પ્રવેશ કરે છે. હવે “ જો મારા ગુરુ આનંદસૂરિ પવારે તે પુત્રને રાજ્યાભિષેક કરા ચારિત્ર ગ્રહણ કરું', આ રાજય તે દુ:ખદાયી છે” વગેરે સંસારની વિટંબનાઓનો વિચાર કરી અનેક ધર્મઅનુષ્ઠાને પોતે જે પૂર્વે કરેલા છે તેને યાદ કરે છે, અને ભોગવિલાસ રોગ જેવા હોવાથી જેમ બને તેમ જલદી તેને ત્યાગ કરવો એ, એમ ભુવનભાનું રાજવી વિચારે છે (હલુકમ અને મોક્ષમાં જેને નજીકમાં જવાનું છે તેવા ભવ્યાત્માઓને તેવા જ અનુદાને તાત્કાલિક મળી રહે છે ) તેવામાં ઉધાનપાલક આવી શ્રી આનંદસૂરિજી મહારાજ પધાર્યાની રાજાને વધામણી આપે છે. તરત જ કુમાર તથા અંતઃપુર સહિત આચાર્ય મહારાજ પાસે આવી પ્રણામ કરી તેમની પાસે બેસે છે. મૂરિજી મહારાજ દેશના આપતાં જણાવે છે કે મોક્ષમાર્ગને બે રસ્તાઓ સાધુધર્મ અને શ્રાવકધર્મ છે. રાગદેવના કારણે મનુષ્યને તે બને માર્ગે પ્રાપ્ત થવા દુર્લભ છે. સંસાર કેવી જાતને ભયંકર છે. નરક, તિર્થં ચ ગતિનાં કેવા દુ:ખે છે, ધર્મરૂપી રસાયન સેવન કરનારને જન્મ, જરા, મૃત્યુ અને વ્યાધિઓ થતાં નથી વગેરે ઉપર બન્ને ધર્મોનું સંક્ષિપ્તમાં સ્વરૂપ સમજાવી મોક્ષપ્રાપ્તિના ઉપાય બતાવે છે (પા. ૧૩૫, દેશના વાંચવા જેવી છે.) . ત્યારબાદ ભુવનભાનુ પિતાના પુત્રને ગાદીએ બેસાડી પોતે ચારિત્ર અંગીકાર કરવાને ઉત્સુક છે એમ સૂરિમહારાજને કહી પોતાના મહેલે આવી પોતાના પુત્ર નલિની ગુમને રાજ્યાભિષેક કરે છે. અને તે વખતે “ પ્રજાજનોને પોતાના પુત્ર નવા રાજા સામે કેમ વર્તવું તે જણાવી નલિની ગુલ્મ રાજાને પ્રજાની રક્ષા કરવાનું, ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવી, સાત વ્યસન અને ભોગમાં આસક્તિ, ઉપેક્ષાભાવ –૬ને પર વિશ્વાસ ન રાખવો તે સર્વ કરવાથી રાજલક્ષ્મી વધે છે માટે તે ચારને ત્યાગ કરે. અપરાધી એવા સેવક ઉપર વાત્સલ્ય ભાવ રાખ પરિપુઓને જીતવા. જ્ઞાની પુરુષોને સંગ કરે. રાજ્યલક્ષ્મીનું પાલન કરવું. એમ કહી રાજા ભુવનભાનુ દીક્ષા લેવાની સર્વસંમતિ માંગે છે, સર્વ અબુપાત કરે છે. નલિનીગુલ્મ પિતાને રોકવા વિનયપૂર્વક પ્રણિપાત કરે છે. (પા. ૧૩૬ ) છેવટે રાજ સંસારનું અસાર સ્વરૂપ સમજાવી સર્વને શાંત કરે છે. અહિં ભુવનભાનુ રાજવી જિનેન્દ્ર ભગવાન અને શ્રી સંધની પૂજા કરે છે, અનાથને દાન આપે છે. ચારિત્ર લેતાં પૂર્વે આવી રીતે ધર્મ કરવાના જ હોય છે. પછી રાજા શિબિકા ઉપર આરૂઢ થાય છે. દીક્ષાની ભાવનાવાળા માતુશ્રી વગેરે અંત:પુર અને પરજને વગેરે સહિત ઉધાનમાં આવી પ્રથમ રાજવી વગેરે આનંદસૂરિ મહારાજને પ્રદક્ષિણા આપી પ્રણામ કરી દીક્ષા આપવા માટે વિનંતિ કરતાં તેમને તથા નિર્મળ અંત:કરણવાળા મંત્રી સામતે અને અંતઃપુરની સ્ત્રીઓ વગેરેને વિધિપૂર્વક દીક્ષા આપે છે. નલિનીગુલ્મને દેશવિરતિપણું આપે છે. (તે વખતને કે સુખમય કાળ? રાજા સાથે મંત્રી, રાણીઓ વગેરે અનેક જને દીક્ષા લેતા હતા. દીક્ષા લેનાર રાજવી પુત્ર પરિવાર, સામંત, મંત્રી તથા પરેજનેની સંમતિ લેતાં હતાં, સર્વને દીક્ષા લેનાર રાજવી સંસારસ્વરૂપ સમજાવી શાંત કરી ચારિત્ર લેતા હતા. “ધન્ય છે તે વખતના સત્ત્વશાળી મનુષ્યોને ! તે ઉત્તમ યુગમાં જન્મનારા દીક્ષાના ગ્રાહકોને પરિણુમ પણ સુલભ હોય છે.) પછી ગુરુમહારાજ ભુવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy