SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ તેરમ ( આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની દેશના સાંભળીને કે મ વિગેરે છેતેર ક્ષત્રિય પુરુષે પિતાપિતાના સે-સો સેવકજને સાથે પ્રતિબંધ પામ્યા અને પરમાત્માના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ધારણા પ્રમુખ કુલીન સીએએ પણ સંયમ સ્વીકાર્યું. તિર્યંચે, દેવે અને અસુરે એ સમકિતની પ્રાપ્તિ કરી અને રાજા તથા રાણીઓએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતના પ્રથમ સમવસરણમાં અનંત ગુણરત્નના સમુદ્ર સરખા ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ભવિષ્યમાં ગણધર થનારા કૌરભ વિગેરે શિખ્યોને ઉત્પાદ, વ્યય અને પ્રીય એ ત્રિપદી આપી. પરમાત્માએ તેઓને ગણધર પદે સ્થાપ્યા. એટલે તેઓએ બુદ્ધિના અતિશયને કારણે દ્વાદશાંગીની રચના કરી. પછી ઈદ્રમહારાજા વાસથી પરિપૂર્ણ રત્નને થાળ લાવ્યા એટલે પરમાત્માએ આસન પરથી ઉઠીને ચૂર્ણની સંપૂણ મણિ ભરી ત્યારે ભાવનાથી દદીવમાન દેવોએ મંગળ વાજિંત્રો વગાથા એટલે “ દ્રવ્ય અને ગુણપર્યાય યુકત સૂત્ર તેમજ તદુભય(સૂત્ર અને અર્થ બંને )થી હું તમને અનુયોગની તથા ગણુની આજ્ઞા આપું છું.” એમ બોલતાં પરમાત્માએ નત મસ્તકવાળા તે ગણધરો પર પ્રથમ વાસક્ષેપ નાખ્યો. અને ગુણીયલ ધારણીને પ્રવતિની પદ અર્પણ કરવામાં આવ્યું; એટલે સર્વ સુરાસુરે અત્યન્ત હર્ષ પામ્યા. પરમાત્માના કસ્તુભ વિગેરે છેતેર ગણધરો થયા, જેમના ગુણેને બુદ્ધિમાન પુરુષો પણું જાણી શકે નહીં તે તેનું વર્ણન તે શી રીતે થઈ શકે ? વિશેષ શું કહેવું? ત્રિપદી દ્વારા તેઓ પોતાની પ્રજ્ઞાથી શ્રતરૂપી સમુદ્રને પાર પામી ગયા તેનું વર્ણન શી રીતે થઈ શકે? બાદ પૃથ્વીતતને વિષે મિથ્યાત્વને નાશ કરનાર અને અત્યંત સુદઢ એ દાન, શીલ, તપ અને ભાવરૂપ-એ ચાર પ્રકારને ધર્મ પ્રવર્યો. જેમ હસ્તીઓના સમૂહથી રાવણ હસ્તી, * ગિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં “ગેશુભ” નામ જણાવ્યું છે. , , , , , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy