SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ * ધનાવહને પ્રાપ્ત થયેલ પાંચે રત્ન ની થયેલ ધનપાલને પુયોગે માધિ [ ર] પામી, જ્યારે ધનપાલની લક્ષમી વૃદ્ધિ પામીધનાવહ પિતાની નગરીમાંથી નીકળીને પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યો, છતાં તેને કંઈપણુ લકમી પ્રાપ્ત ન થઈ. એકદા પર્વત પર ચઢલા તેણે એક દેવી મંદિર જોયું. તે સત્યગિરા દેવીની સન્મુખ, કેઈએક ધન નામના માસુસને ધન, આરોગ્ય અને પુત્રની ઈચ્છાથી લાંઘણુ કરતે જે એટલે તે પણ ચતુર્વિધ આહારને ત્યાગ કરીને, ધનની ઈચ્છાથી તે દેવી સન્મુખ રહ્યો એટલે પંદરમે દિવસે દેવી પ્રત્યક્ષ થઈ. દેવીએ કહ્યું કે-“ તારામાં ધનપ્રાપ્તિની યોગ્યતા નથી, છતાં બહુ મૂલ્યવાળા પાંચ રને લઈને નું ઘરે, જ. તે તેજસ્વી જેને જોઈને ધનાવહ ૫ણ તેજસ્વી બન્યા અને પર્વત પરથી નીચે ઉતરીને ઉકિત બનેલ તે પોતાની પ્રિયા પાસે જવાને ચાલ. તળેટીમાં આવેલા ગામમાં ભાતું બનાવીને, શરીરને સશક્ત બનાવીને, ભાતામાં તે પાંચ રત્નને મૂકીને તે ઘર તરફ ચાલી નીકળે. સાથવાની સાથે મધ્યરાત્રિને સમયે કાંચી નગરીના બંધ થયેલા દરવાજે આવી પહોંચ્યો. કિલાની નજીકમાં રહેલ પરબમાં સૂઈને તે નીચે પ્રમાણે વિચારવા લાગ્યું કે “ હું સુખરૂપ પાંચ રને લઈને મારી નગરીએ આવી. પહોંચે છું. હવે તે પાંચ પૈકી એક રનને વેચીને હું મારો વ્યવહાર ચલાવીશ, કેટી મલ્યવાળા બીજા રનથી ધનશ્રીને અલંકારો કરાવીશ, ત્રીજા રનથી મોક્ષને આપનર મને ડર અને ઉત્તગ જિનમંદિર કરાવીશ, બાકીના બે રને હું કોઈને પણ આપીશ નહિ, જેથી પ્રસંગ પડયે હું તેને ઉપયોગ કરી શકે.” આમ વિચારણા કરતે કરતે ધનાવહ થાકને કારણે ઊંધી ગયે. . ' ધનાવહના ભાતાની પોટલીને ઉપાડીને કૂતરે કિલાની ખાળદ્વારા ધનપાલના હે પહોંચી ગયો. તેના ઘરના એકાન્ત પ્રદેશમાં કૂતરાએ તે ભાતુ ખાધું. આ બાજુ ધનાવહ પિતાની માતાની પાટલીને નહીં જેવાથી મૂચ્છિત બન્યો, પણ સચેતન બનેલ તે વિચારવા લાગ્યો કે-“હું ખરેખર પુણ્યહીન છું. સમુદ્ર તરીકે હું ખાચિયામાં ડૂબી ગયે. ખરેખર કુલદેવીનું વચન સત્ય નીવડયું છે તો હું શું કરું? ફરીવાર તે પર્વત પર જાઉં કે દેશાન્તર જાઉં ? પહેલાં તે ધનશ્રીને મળી લઉં.” આ પ્રમાણે વિચારીને તે સ્વગૃહે ગયે. અશ્રયુક્ત લેનવાળા તેણે ધનશ્રીને પોતાની હકીકત કહી એટલે તેણી ખિન્ન બની. અને તે બંને જણાએ પિતાનું પુણ્ય કેટલું છે તેની ખાતરી કરી. આ તરફ, પ્રાતઃકાળે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતે ધનપાળ શયામાંથી ઊઠીને, લઘુનીતિને માટે ઘરના એકાન્ત પ્રદેશમાં જતાં તેણે પિતાના પુણ્યની માફક દિશાઓને પ્રકશિત કરતાં પાંચ અમૂલ્ય રત્ન જોયા ત્યારે તેણે વિચાર્યું કે- કુલદેવીએ આ રત્નો મને આપેલા જણાય છે, તો હું આ ૨દ્વારા શ્રેષ્ઠ જિનમંદિર બંધાવીશ. ” એમ વિચારીને તે 5 રને ભંડારમાં મક્યા. ધનાવહ પણ કેટલાક દિવસે પર્યંત ગુપ્ત રીતે રહીને, કઈક ભાતું લઇ પિતાની સાથે કાંચી નગરીનો ત્યાગ કરીને ચાલ્યો ગ. : : : ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy