SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २० પ્રસ્તાવના સન્નીને (પા. ૬૧ થી પા. ૯૧ સુધી) (ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભા નગરીમાં વેશ મહાત્સવનુ વણૅન) વિચક્ષણ મંત્રી શુભાનગરથી નીકળી શ્રીપુર આવી પહોંચે છે અને રાજ્યસભામાં ભુવનભાનુ ચઢીને પ્રણામ કરી બેસે છે. રાજવી પેાતાના સુબુદ્ધિમત્રીના કુશળ પૂછે છે અને મત્રીએ આપેલ લેખ તથા પોતાના નામથી અંક્તિ આભૂષણે વિચક્ષણે આપતાં તે ભુવનભાનુ ચક્રી પોતે અતે ભાનુશ્રીના નામથી અતિ ભાનુશ્રી ધારણ કરે છે. પછી મંત્રીએ આપેલ તે લેખ ભુવનભાનુ વાંચે છે જેમાં પોતાના કુશળ સમાચાર સાથે પોતે તથા પ્રજા આપના નની રાહ જુએ છે વગેરે જણાવેલ છે. પછી તે મંત્રીએ તેમાં લખેલ હકીકત ઉપરાંત વિચક્ષણુ મંત્રી જણાવે છે કે “પ્રજા આપના ન માટે ઉત્સુક છે, તેમ જ આપના પુણ્યપ્રતાપની આશ્ચર્યકારક ઘટના ત્યાં જણાવતાં કેટલાંક નાગરિક લેાકેા શ્રધ્ધા કરતા નથી, વળી કેટલાક ખંડીયા રાજા વિલંબથી કરેા આપે છે, તેમજ તમારા ગોત્રીય પુરુષા પાસેથી રાજ્ય પડાવી લેવા કેટલાક રાજાએ તૈયાર થયા છે માટે આપને સત્વર શુભાનગરીએ પધારવાની જરૂર છે.” વગેરે સાંભળી પાતાના સસરા કનકરથ રાજવીને જણુ!વી, રાજ્યના ખાજો તેને સોંપી, હજારે વિમાના સહિત દરેક સ્થળે સત્કાર પામતા કેટલાક વખત પછી શુભાનગરીની નજીકના પ્રદેશમાં એક બગીચામાં પડાવ નાંખે છે. અહિં ભુવનભાનુ રાજાના મહાપ્રભાવથી તેમનું સ્વાગત કરવા તે નગરીને પ્રજા તરફથી શણુગારી સુંદર રચના કરી છે તેનું વર્જુન ( પા. ૬૩ ) આપેલ છે. હવે રાજવી અને રાણી ભાનુશ્રી પ્રજાને સત્કાર પામતાં પોતાના મહેલમાં આવી પહેાંચે છે, ભુવનભાનુ રાજવી નગરના જિનચૈત્યાની અને પછી ગૃહચૈત્યોની પૂજા, દેવવંદન કરે છે. (પૂ`કાળમાં જૈનરાજાએ અને શ્રેષ્ઠીઓ ગૃહચૈત્યા કરાવતા હતા તેથી જ જિતેન્દ્રપ્રભુની મૂર્તિ, પ્રતિષ્ઠા, પૂજાવનની આવશ્યકતા અને સિદ્ધિ વગેરેની આવા અપૂર્વ ચરિત્રો સાક્ષી પૂરે છે.) કાઇએક દિવસ રાજા રાણી સાથે ક્રીડા કરવા પ્રમાદવનમાં આવે છે જ્યાં યુગલ રાજ`સ પોતાની ભાષામાં વાર્તાલાપ કરે છે. પશુઓની ભાષાના જાણુકાર રાજા તે સાંભળ્યા બાદ રાણી ભાતુશ્રી શું સાંભળ્યું તેમ પૂછતાં ભુવનભાનુ ચક્રી કહે છે કે-તે જાણવાથી તમાને કંઇ લાભ ન થતાં ઉલટા દુ:ખી થશે। અને કદાચ કાંઇ વસ્તુ માંગશે। અને હું નહિ લાવી દઉં તેા તમારું મન દુખાશે. આમ કહ્યા છતાં રાણીને મનદુ:ખ થતું જોઈ રાજા કહે છે કે હસીને પુત્રપ્રાપ્તિ થતી નથી, વૃદ્ધાવસ્થામાં કેમ જીવી શકીશ ? વગેરે ચિતા થાય છે. તે સાંભળી રાજહંસ કહે છે કે-પુત્રપ્રાપ્તિ થવી તે કર્માધીન છે. વળી પુત્રથી માતાપિતાને સુખ જ થાય તે એકાન્ત નથી, કેમકે દેવકુમારની જેમ કાઇ પુત્ર પિતાને કષ્ટ આપનાર પણ થાય છે. અહિં દેવકુમાર ક્રાણુ હતા ? તે હંસીના પૂછ્યાથી હંસ જણાવે છે કેઃ— પૂર્વે કુસુમનગરમાં સુર નામના રાજા અને દત્ત નામનેા ગુણવાન શ્રેષ્ઠી હતા. તેને શીલવતી અને સગુણુસંપન્ના મડાલક્ષ્મી નામની પત્ની હતી. પૂર્વપાર્જિત લક્ષ્મીવર્ડ દાન, વૈભવ વગેરેવડે તેમને સમય પસાર થતા હતા. કાઈએક દિવસે સર્વાં સુંદર આભૂષાથી સુશોભિત બની ગોખમાં બેઠેલી તે મહાલક્ષ્મી પોતાના મહેલ પાસે રહેલ એક બાળાને પોતાના બાળકને રમાડતી જોઇને, પોતાને લક્ષ્મી હોવા છતાં પુત્ર નહિ' હોવાથી માહવશ બનીને ખેદ કરે છે કે “ પુત્ર વિના લક્ષ્મી, સંસાર અને વૈભવ નકામા છે' વગેરેથી ચિંતાતુર બનેલી જોઇ કુશલા નામની દાસીના પૂછવાથી “ પુત્ર વિના પેતાનું જીવન નકામું છે અને તે પુત્રપ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy