SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ★ શૃંગારમાંજરી સાથે સિંહકુમારનું પાણિગ્રહણ [ ૨૯ ] કરાય છે.” બાદ મનોહર મુખવાળી ભાનુશ્રીને ભેટીને મેં કહ્યું કે-“ સ્વજન સિવાય હું કાઇને મારી હકીકત જણાવતી નથી.’ પછી શરમનેા ત્યાગ કરીને મે` બધા વૃત્તાંત તેણીને જણાવ્યેા. ભાનુશ્રી અમારા કુલમાં નાની હોવા છતાં પણ ગુણેાને લીધે મહાન હતી. કેઇએક દિવસે મારા પિતા સભામાં બેઠા હતા તે સમયે દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે–‘ રાજન્ ! કુસુમસાર રાજાને મત્રી દ્વાર પર આવીને ઊભે છે. ” ત્યારે મારા પિતાએ આજ્ઞા આપવાથી પ્રવેશ કર્યા બાદ પ્રણામ કરીને તે મ ંત્રી આસન પર બેઠે, એટલે અમૃતની વૃષ્ટિ કરતી પેાતાની દૃષ્ટિથી તે મંત્રીને સંતાપીને મારા પિતાએ જણાવ્યુ` કે“મારા સ્નેહપાત્ર, શત્રુસમૂહથી વદાયેલા અને યાચક લેાકેાને સ ંતેષ પમાડનારા કુસુમસાર રાજવી કુશળ છે ને ’’ એટલે વિનયશીલ મંત્રીએ જવાબ આપ્યા કે- આપની કૃપાથી મારા સ્વામી દરેક પ્રકારે સુખી--કુશળ છે. આપને મારે કંઇક વિજ્ઞપ્તિ કરવી છે, તે મને એકાન્ત આપે। અર્થાત્ હુ એકાન્તમાં આપને કંઇક કહેવા માગું છું. બાદ મારા પિતાએ એકાંતસ્થાનની ગેાઠવણ કરતાં તેણે જણાવ્યું કે- “ આપની પુત્રો શ્રૃંગારમંજરી કુસુમસાર રાજવીના પુત્ર સિંહ કુમારને આપે. આ પ્રમાણે કરવાથી પૂના સ્નેહરૂપી વૃક્ષને વિકાસ થશે. ’ પછી આ સબંધમાં મારા પિતાએ મને પૂછતાં મેં કહ્યુ કે “મને તે આપની આજ્ઞા પ્રમાણ છે, અર્થાત્ આપ ફરમાવે તે પ્રમાણે કરવાની મારી ફરજ સમજું છું. ’ } બાદ મેં વિચાર કર્યાં કે- ‘વિધિની અનુકૂળતાથી આ કાર્ય બનવા પામ્યું છે. ખરેખર જોઇતુ હતુ અને વૈદ્ય બતાવ્યુ ' તેની માફક આ હકીકત બની છે. પછી મારા પિતાએ મંત્રીને જણાવ્યું કે- “ તમે તમારા રાજાને જણાવજો કે તમારા પ્રેમભર્યા વચનની કદી પણુ અવગણના અમે કરતા નથી અથા 1 તમારું' કથન મને કબૂલ છે. સાગરની સાથે ગંગાને સંગમ થાય તેને કોણ અવગણે ? તે જઇને કુસુમસાર રાજવીને જણાવ કે જલ્દી આવીને આ મ’ગળપ્રસંગ કરાય. ’” આ પ્રમાણે તે મંત્રીને ક્માવીને, તેનું સન્માન કરીને પિતાએ તેને વિદાય કર્યાં. હું પણ સ તાષ, ભાગ્ય અને સૌભાગ્યથી પરિપૂર્ણ બની હાઉં તેવી ખની ગઈ અર્થાત્ હું અત્યંત સંતુષ્ટ અની. * કેટલાક દિવસો વીત્યા બાદ વિશાળ મળવાળા ને પરાક્રમી, ગંભીર નાદવાળા સિંહની માર્ક સિ’હકુમાર આવી પહેાંચ્યા. મારા પિતાએ સામા જઈને તેમને ઉચિત સત્કાર કર્યો અને ઇંદ્ર જેમ નંદનવનમાં રહે તેમ તે સિંહ રાજકુમાર કુસુમાકર નામના ઉદ્યાનમાં રહ્યો. બાદ સમરત વિદ્યાધરે દ્રોને સમૂહ એકત્ર થયેા ત્યારે, આકાશ અને દિશાસમૂહ વાજિંત્રના ધ્વનિથી પરિપૂર્ણ કરાયે છતે, સ્તુતિ કરતાં ભાટ--ચારણાને મહાદાન દેવામાં આવ્યું ત્યારે, મગળ ગીતાથી કુલ સ્ત્રીએ જનસમૂહના ચિત્તને આનંદ પમાડી રહી હતી ત્યારે, જેમ ચદ્ર પેતાના પ્રિયા ચદ્રિકાની સાથે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે તેમ, હે રાજન ! મે' દેદીપ્યમાન અગ્નિને, સિંહકુમારની સાથે રહીને, પ્રદક્ષિણા આપી; અર્થાત્ અમારા બનેના લગ્ન થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy