SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ * ચદ્રકુમાર અને ચદ્રરેખાને મેળાપ | ૧૫ ] અનુભવ્યુ' નથી, જેથી દુઃખી એવી મને તમે નિર્દયપણે સંતાપી રહ્યા છે. ” આ પ્રમાણે ખેલીને કોઈ પણ મને ન જોઇ જાય તેવી રીતે મનુષ્યરહિત ઉદ્યાનના મધ્ય ભાગમાં હુ' ચાલી ગઇ. ત્યાં આગળ જઇને મે' વિધિને ઉચ્ચ સ્વરે અનેક પ્રકારના ઉપાલ ભો આપ્યા કે હે દેવ ! તે' મને દુર્ભાગી કેમ બનાવી ? શા માટે તે મને યુવાવસ્થાવાળી બનાવી ? શામાટે તે મને ચંદ્રકુમારનુ` દર્શન કરાવ્યું ? કયા કારણથી તેને મને વિરહ કરાબ્યા ? શામાટે વહાણના ભંગ થયેા ? અને વહાણના ભંગ થયેા તે શામાટે તે તેના હાથમાં પાટિયુ ન આપ્યું ? તેના વિરહની સાથેાસાથે મારું હૃદય પણ કેમ ન ફાડી નાખ્યું ? હવે તા તું મારા પ્રાણાને પણ ગ્રહણ કર. સ્ત્રીહત્યાના પાપથી તું ભયભીત ન થા ! હું પાપીષ્મ ! તે ચદ્રકુમારને હણતાં આશા વિનાની બનેલી મને તે પહેલેથી જ હણી નાખી છે. સ્ત્રીઓને સ્વામી એ જ તેના પ્રાણ છે. તેના રક્ષણને માટે બીજો કોઈ સમથ નથી. ’’ આ પ્રમાણે દૈવને અનેક પ્રકારે ઠપકા આપીને હું એલી કે-“ અન્ય ભવમાં ચંદ્રકુમાર જ મારા પતિ થએ. દુઃખમય એવા આ ભવથી મારે સયું.” આ પ્રમાણે મેલીને મે' મારા પોતાના ગળામાં તેમજ વૃક્ષની શાખામાં પાશ નાખ્યા, જેથી એક ચદ્રકુમારને ઇચ્છતી હું અનેક ચંદ્રે જોવા લાગી-અર્થાત્ ગળામાં પાશ નાખવાથી મને આંખે અંધારા આવવા લાગ્યા. તે સમયે · હૈ ખાલા ! આવા પ્રકારની ચેષ્ટાથી સર્યું' આ પ્રમાણે ખેલતા કામદેવ સરખા કોઇએક પુરુષ ત્યાં આવી ચઢ્યો. એટલે મેં તેની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. જલ્દી પાશને છેઠ્ઠી નાખતાં તેણે મને એળખી અને હું પણ તેને મારા સ્વામી જાણીને તેના ગળે વળગી પડીને રુદન કરવા લાગી. અશ્રુના બહાનાથી દુઃખરાશિ ઝરી જવાથી—નષ્ટ થવાથી પ્રિયજનના દનરૂપી અમૃતથી મારા હૃદયના સ ંતાપ ચાલ્યા ગયા. પછી તેણે મને આશ્વાસન આપતાં કહ્યુ કે હૈ સુંદરી ! તુ ખેદ ન કર, કારણ કે શુ પૂર્ણિમા સાથેના ચદ્રના સ ંચાગ હુંમેશ હેાઇ શકે છે ? '' પછી તેનાથી પુછાયેલ મેં મારું સમગ્ર વૃત્તાન્ત કહી સ ંભળાવ્યુ અને પછી મારાથી પુછાયેલ તેણે પણ પેાતાની હકીક્ત નીચે પ્રમાણે કહી સ’ભળાવી. વહાણુના ભંગ થયા બાદ મે' મારી જાતને સમુદ્રકિનારે જોઈ તેથી મે અંતઃકરણમાં વિચાયું કે–સમુદ્રદેવ પાસે મે' માગેલ પ્રાણોની ભિક્ષા તેણે મને આપી છે. આ સંસારનાટક કેવું વિચિત્ર છે. ધન-ધાન્યથી પરિપૂર્ણ વહાણુ કયાં અને એકલા એવા મારું' આ સ્થાન કયાં? મારા અકુશળ વૃત્તાંતને જાણીને તેણી ( ચંદ્રરેખા )જરૂર મુત્યુ પામશે. તે પક્ષીએ ખરેખર અન્યવાદને પાત્ર છે કે જે પેાતાના ઈષ્ટ સ્થળેજલ્દી જઈ શકે છે. તેણીએ તેા મારા માટે પોતાની જિંદગી તિરસ્કારી કાઢી પણ હું તે પ્રમાણે કરી શકયા નહી. હું તેણીના ઉપકારનેા બદલા વાળી શકયા નહી તેથી મારા જીવનને ધિકકાર હે ! તેણીના અકુશળ સમાચાર સાંભળું તે પૂર્વે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy