SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) સર્વત્ર વર્જવાનું કહ્યું છે. નિર્મળ પરિણામવાળા શ્રાવકજને તે સવાભાવિક રીતે જ તે અતિચારોમાં પ્રવૃત્તિ ન કરે. ૩૪. ઉક્ત સમ્યક્ત્વ અણુવ્રતાદિકની પ્રાપ્તિના ઉપાયઅભ્યત્થાન, વિનય, પરાક્રમ અને સાધુ સેવનાદિક કહેલા છે. તથા અંગીકાર કરેલ સમ્યક્ત્વ વ્રતાદિકની રક્ષા કરવાના ઉપાય હિતકારી કલ્યાણસ્થાનનું સેવન, વગર કારણે પરઘરમાં પ્રવેશને પરિહાર, ક્રીડા–બાળચેષ્ટા અને વિકારભર્યા વચન બેલવાને ત્યાગ વિગેરે છે; તેથી પૂર્વોક્ત ઉપાયવડે તે વ્રતાદિકનું રક્ષણ કરવું અને ત્રિવિધ ( મન-વચન-કાયાથી ) ત્રિવિધે ( કરવા, કરાવવા ને અનુમોદવાવડે ) અથવા ત્રિવિધ દુવિધે અથવા ત્રિવિધ એકવિધે અથવા દુવિધ ત્રિવિધે ઈત્યાદિ ભેદેવડે યથાશક્તિ ને યથાસંભવ તે તે વ્રતનું ગ્રહણ-અંગીકરણ કરવું. તથા સમ્યક્ત્વમૂળ બાર વ્રતે સ્વીકાર્યા પછી તેનું મરણાદિ કર્યા કરવું. અપ્રત્યાખ્યાત વિષયને પણ યથાશક્તિ તજવારૂપ યતના કરવી. તથા વિષય-સમ્યક્ત્વ વ્રત સંબંધી, જીવાજીવાદિ તરવસંબંધી અને સ્થળ સંકલિપત પ્રાણી આદિ સંબંધી સમજ. અહીં પ્રસ્તુત પ્રકરણમાં નહીં વર્ણવેલ હેય તે પણ આગમમાંથી બુદ્ધિવતએ જાણી લે. કુંભકારના ચકભ્રામક દંડના દ્રષ્ટાન્ત. જેમ દંડથકી ચકામણ થાય છે તેમ આગમથી પૂર્વોક્ત સમ્યક્ત્વ વ્રતની પ્રાપ્તિ અને તેના ઉપાયાદિકનું જ્ઞાન થાય છે. હવે સમ્યફ ને વ્રતધારી શ્રાવકને પરિણામની સ્થિરતા માટે જે કરવું જોઈએ તે સંબંધી ઉપદેશની પ્રસ્તાવનાથે કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy