SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) વ્યવહારશુદ્ધિ થઈ શકશે. વ્યવહારશુદ્ધિ વગરનાં માણસ પાવર ધર્મ પામવા પતે એગ્ય જ કયાં છે? પાત્રતા વગર ગુણ પ્રાપ્તિ થઈ શક્તી જ નથી. ૬. ગમે તેટલી સંપદા છતાં લેભી માણસ મમ્મણ શેઠની પેરે દુઃખી જ હોય છે અને અન્ય અદ્ધિ છતાં સંતોષી માણસ પુણીઆ શ્રાવકની પેરે સુખી હોય છે. એમ સમજી શાણા સ્ત્રીપુરુષએ ઇચ્છા પ્રમાણ બાંધી સંતોષવૃત્તિ સેવવી જોઈએ. બાકી લેભને કંઈ જ નથી અને ઈચ્છા પણ આકાશની પેરે અનંતી છે, તેથી તેને પાર આવતા જ નથી. અનંત આશાતૃષ્ણામાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે તેથી તે ત્યાજ્ય છે. ૭. આજીવિકાદિક જરૂરી કારણે જવા આવવા જેટલી દિશાભૂમિની છૂટ રાખી, બીજી બધી દિશા-ભૂમિ સંબંધી આવતી કિયા અટકાવવા માટે ખાસ દિશા મર્યાદા બાંધવી જોઈએ. ૮. મહાપાપ આરંભવાળા ૧૫ કર્માદાનના વ્યાપારવડે વૃત્તિ-આજીવિકા બને ત્યાં સુધી નહિ કરતાં, અલ્પઆરંભવાળા ન્યાયયુક્ત વ્યાપારવડે જ વૃત્તિ-નિર્વાહ કરે શ્રાવકને ઉચિત છે. ભેગેપગના સંબંધમાં પણ ભસ્યાભઢ્ય, પેયાપેયને વિવેક અવશ્ય સાચવે યુક્ત છે. ડી, નિયમિત અને નિર્જીવ ( અચિત્ત ) વસ્તુવડે સવનિર્વાહ કરી લેવું જોઈએ. ૯. જેમાં પોતાનું કે કુટુંબાદિકનું હિત સમાયેલું ન હોય તેવી નકામી બાબતમાં માથું મારવું, પાપોપદેશ આપે, પાપાધિકરણ એકઠાં કરી બીજાને આપવાં, પાપી હિંસક જાનવર પાળવાં, અસતીપોષણ કરવું, કુવ્યસન સેવવાં, કુસંગતિ કરવી, કામ ઉમાદ જાગે એવાં આસન સેવવાં અથવા તેવા પુસ્તક વાંચવાં કે સાંભળવાં, જેથી અનેક જીને વિનાશ થાય એવાં પ્રમાદાચરણ સેવવાં, નકામાં યુદ્ધ કરવા કે કરાવવા, એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy