SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) ૩. ક્રોધ, માન, માયા અને લેભ કષાયને વશ થઈ જવું. ૪. આળસ કે સુરતીવડે એદીની જેમ નિરુદ્યમી બનવું. ૫. જેમાં કશું સ્વપરહિત સમાયેલું ન હોય એવી નકામી કુથલી-વિકથા કરવી. ઉપર પ્રમાણે પ્રમાદના પાંચ ભેદ છે. મિથ્યાત્વ–અજ્ઞાન પ્રમુખ તેના આઠ ભેદ પણ કહ્યા છે. પ્રમાદ આચરણ તજીને ખરી દિશામાં પુરુષાતન ફેરવવાથી કે અભુત લાભ થવા પામે છે? એ બારીકીથી તપાસવાની આપણને બહુ જરૂર છે. સાદે-હલકે (સુખે પચી શકે એ) સાત્વિક રાક જે પ્રમાણે પેત અને નિયમિત રીતે લેવામાં આવે છે તેથી વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરવામાં બહુ સરલતા થવા પામે છે. વિષયાસક્તિ તજવાથી ઈન્દ્રિયેને શુભ ઉપયોગ કરી શકાય છે, ચક્ષુવડે શુદ્ધ દેવ-ગુરુની પરમ શાન્ત મુદ્રાને દેખી શકાય છે, શ્રોતવડે શાક્ત સદુપદેશ શ્રવણ કરી શકાય છે, જીભવડે શુદ્ધ દેવ-ગુરનાં ગુણગ્રામ કરી શકાય છે, ઘાણવડે સારા સુગંધી પદાર્થને ઠેકાણે ઉપગ કરી શકાય છે અને દેહવડે સટ્ટણી જનને યથાયોગ્ય વિનય ભક્તિ પૂજા સત્કાર કરી શકાય છે. જેમાંની એક એક ઇન્દ્રિયને પરવશ પડવાથી પતંગીયાં, ભમરા, માછલા, હરણયાં અને હાથીઓના કેવા બૂરા હાલ થાય છે અને તે દરેક ઇન્દ્રિયને સ્વવશ કરી લેવાથી કે ઉત્તમ લાભ મેળવી શકાય છે તે વિવેકથી વિચારી જોતાં માલુમ પડે છે. ક્રોધાદિક કષાયના કટુક ફળ વિચારીને વિવેકી જને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતેષ ગુણને અભ્યાસ રાખે છે તે તેથી સઘળા આંતર તાપને શમાવી પરમ શીતળતાને પામે છે. જે આળસ તજી સદુદ્યમ સેવે છે તો તેથી શરીરનું આરોગ્ય સાચવવા ઉપરાંત ઘણું પારમાર્થિક લાભ પણ સંપાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy