________________
મહાદિ વરિ હણવા વપુ લાલ કીધું, તેને હણી ક્ષણિકમાં શિવ સૌખ્ય લીધું; તે સ્વામીના ચરણમાં મધુકે બનીને, રહેવું ગમે અહનિશે અમને રમીને. સંઘે રૂપી ગગન મંડલ માંહિ વ્યાપી, ને સૂર્યની જ્યમ રહી સહુ ધ્વાંતર કાપી; જેના પ્રતાપ બળથી મઘવા નમે છે, તે શ્રી સુપાર્શ્વ ચરણે અમને ગમે છે............ ૭ કેિ પડે રવિ થતાં જગ ચંદ્ર તે ક્યાં, જે શુકલ ધ્યાન સરખું પ્રભુ મુખ તે કયાં; જે દેવતા મનુજના મનને હરે છે, તે નાથ ચંદ્ર ચરણે ચિતડું કરે છે.... હસ્તે રહી અમલ નીર જણાય જેવું, જ્ઞાને કરી નિરખતાં જગ સર્વ તેવું , જેને પ્રતાપ મહિમા નવિ ચિંતવાયે, તે શ્રી સુવિધિ ચરણે મન શાંત થાયે.. વર્ષાવીને નવીન મેઘ તણીજ ધારા, પ્રાણ તણે પુરણ હર્ષ વધારનારા; સ્યાદ્વાદ અમૃત જસ અમ ઉર નાંખે, ને ચર્ણમાં શરણુ શીતલનાથ રાખે..........
૧ ભમરાઓ. ર અંધકાર. ૩ ઇકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com