SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે વ્યકિતગત ક્રાંતિ કરી, પણ સંસ્થા દ્વારા એને વ્યાપક ન કરી શકયા. તા. ૨૬-૯-૬૧ સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. જેનાથી સમાજ હિતના કાર્ય કે ભાવની પ્રેરણા મળે તે સાહિત્ય કહેવાય છે. સમાજ તો અરીસે . સમાજમાં પેસતાં અનિષ્ટ કે અનિષ્ટકારોને ઉઘાડા કરી, એ અનિષ્ટને નિવારવાનું કામ સાહિત્ય સર્જન દ્વારા કરવું, એ સાહિત્યકારને ધર્મ છે. સાહિત્યિક ક્રાંતિકારની તે એથીયે વિશેષ ફરજ છે. સાહિત્યિક ક્રાંતિકારનાં ૫ લક્ષણો ઃ ૧. પ્રાણુ અને પરિગ્રહના ત્યાગની તૈયારી, પ્રતિષ્ઠાત્યાગની મર્યાદા. ૨. સત્યશોધનની તાલાવેલી. ૩. સમાજમાં ચાલતાં જૂનાં છેટાં મૂલ્યોને ઉખેડી નવાં સાચાં મૂલ્યોને સ્થાપવાની તથા ધર્મમય નવસમાજ નિર્માણની પ્રેરણા મળતી હોય, ૪. એને સાહિત્યથી અનિષ્ટો કે અનિષ્ટકારેને ટેકે ન મળતા હોય. ૫. એનું આચરણ સારું હોય. ૨. સાહિત્યિક ક્રાંતિકારોમાં ભારતમાં વાલ્મીકિ, વેદવ્યાસ, જૈનાચાર્ય હરિભદ્રસૂરિ વગેરે થયા છે. ૩. ૧. વાલ્મીકિ એક નીચલા થરના વટેમાર્ગુને લૂંટનારા ગણાતા ભીલમાંથી સંત નારદના સમાગમથી મહાન ઋષિ બને છે. રામનું રટણ કરતાં કરતાં એમને રામનું ચરિત્ર સફરે છે, અને એથી ભારતીય સંસ્કૃતિનાં તો પ્રતિબિંબિત કરીને એ રામચરિત રચે છે. એ આદિ કવિ ગણાય છે. સીતાજીને એમણે આશ્રમમાં આશ્રય આપે. લવ-કુશને શિક્ષણ-સંસકાર આપ્યા. ૨. વેદવ્યાસે વેદમાં પ્રરૂપેલ વિચારેને સર્વ સામાન્ય માટે સુલભ બનાવવા અને ભારતીય સંસ્કૃતિ તને સમજાવવા માટે મહાભારત અને ભાગવત રચ્યાં. હિંદના ધર્મેના તને સમન્વય કર્યો, જ્ઞાન કર્મ અને ભક્તિને ગીતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy