SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પર વડે ઉત્પન્ન થતા બ્રહ્મતત્ત્વના અભાસ છે, એવું શાંકરવેદાન્તી માને છે. તે બ્રહ્મતત્ત્વને આ અનુભવાતા પ્રપંચ સાચેા પ્રતિભિમ સાથેના પરિણામ છે એવું શાકત અદ્વૈતીએ માને છે. વૈકાન્તી અને શાક્ત બન્ને સિદ્ધાન્તમાં અદ્વૈતી છે, અને સાંપ્નની પેઠે દ્વૈતી નથી, એટલા મુદ્દામાં ઔપનિષદો અને શાકતમતવાળા એક પક્ષમાં છે, અને સાંખ્યયેાગવાળા દ્વૈતવાદી હાવાથી બીજા પક્ષમાં છે. શ્રી શંકર!ચાનું ભૌતિક જીવન તપાસતાં પણ આપણને સમજાય છે કે તેમના ચિત્તમાં શકિતવાદની ઉંડી ભાવના પ્રવેશ પામી હતી. નીચેના જીવનના પ્રસગા આ અનુમાનને ટેકા આપનારા છેઃ— (૧) કેરલ ભૂમિમાં હિન્દુ ધર્મશાસ્ત્રથી વિલક્ષણ માતૃવંશમાં વારસા ઉતરવાની રૂઢી ઘણું! કાળથી પ્રચલિત છે. શંકરાચાય ના પિતા શિવગુરુ તેમની અત્યન્ત બાલ્યાવસ્થામાં કૈલાસવાસી થયા હતા. અને તેમના વિદ્યાભ્યાસમાં અને 1કાર અવસ્થામાં તેમનાં માતુશ્રીએ ધણા જ શ્રમ લીધા હતા. દેવીને નૈવેદ્ય દૂનું ધરાવવાની પેાતાનાં માતુશ્રીની પદ્ધતિ નિત્ય લક્ષમાં રાખનાર આ કુશળ બાળકે માતાથી. નૈવેદ્ય ન ધરાવવાનેા પ્રસંગ ઉભા થતાં પોતે ધરાવવા ગયા, અને દૂધ જેવું ને તેવું પાત્રમાં રહ્યું તેથી દેવી આરેાગતાં નથી એમ સમજી ભાવનાપૂર્વક સ્તુતિ કરી તેના કુલ રૂપે વાદેવતા પ્રસન્ન થયું અને કવિ શિશુએ ઉત્તમ કાવ્યેા લખ્યાં એવી લોકવાયકા છે, એટલું જ નહિ પરંતુ સૌન્દલહરી નામના પ્રકરણ ગ્રંથમાં ઉલ્લેખ પશુ છે. આ પ્રસંગમાં અલૌકિક બાબત બાદ કરીએ તે એટલું તા સમજાય છે કે દેવીની ભક્તિ શંકરાચાયની ખાલક અવસ્થામાં પ્રવેશ ભામેલી હતી. (૨) પેાતાનાં માતુશ્રી પ્રતિ શંકરાચાય માં અદ્દભુત ભક્તિભાવ હતા. પાતાની સન્યાસદીક્ષામાં સમતિ, મગરે તેમના નદીમા પગ પકડયા તે વખતે, તેમનાં માતાએ, “ જો ખાળક છૂટે તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy