SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શંકરાચાર્ય જે કેરલ ભૂમિમાં જન્મ્યા હતા ત્યાં છાંદોગ્ય પનિષદની જા હતા ની ઉપાસના પ્રચલિત હતી. તેમની પહેલાં થઈ ગયેલા અદ્વૈતવાદી દ્રવિડાચાર્યે તરયમરિ મહાવાકયના છાંદોગ્ય પ્રપાઠક ઉપર શાકતવાદ ઉભો કર્યો હતો. બ્રહ્મનંદી નામના એક દ્રવિડાચા જગતના કારણ રૂપે લેવાતા તત્વ એટલે પરમેશ્વરના વાચક શબ્દના અર્થમાં પ્રયતાને લીધી હતી. છાન્દોગ્ય ઉપનિષદ્ગા શંકરાચાર્યની પૂર્વે થઈ ગયેલા વાક્યકાર બ્રહ્મનંદીએ અને ભાષ્યકાર દ્રવિડાચા જગત કારણમાં સત સંજ્ઞાવાળા બ્રહ્મમાં પરાવતા ભાવ સ્પષ્ટ કર્યો હતો. આ સદબ્રહ્મ અથવા પવિતાની ભાવના દ્રાવિડ વેદાન્તમાં અને શવ સિદ્ધાતમાં વિદના રૂપમાં પ્રવેશ પામેલી સારી રીતે ઓળખી શકાય તેમ છે. શંકરાચાર્યના શિષ્યના શિષ્ય સર્વજ્ઞ મુનિ સંક્ષેપ શારીરકમાં આ પૂર્વાચાર્યના અભિપ્રાયને સ્પષ્ટ જણાવે છે – अन्तर्गुणा भगवती परदेवतेति प्रत्यग्गुणेति भगवानपि भाष्यकारः । आन्तयत्तदिह निर्गुणवस्तुवादे संगच्छते न तु पुनः सगुणप्रधादे ॥ પૃથ્વી, જલ, અને તેજની અધિષ્ઠાત્રી ત્રણ દેવતાઓ સામાન્ય પુરુષ એટલે જીવના શરીરમાં પ્રવેશ પામેલી છે, તે પુરૂષ મરે છે ત્યારે તેની વાકશકિત મનની શકિતમાં લય પામે છે, મન શક્તિ પ્રાણમાં લય પામે છે, પ્રાણશકિત તેજની શકિતમાં લય પામે છે, અને આ પિંડગતા, તેજોમયી શકિત પવિતામાં એટલે ચિ૭કિતમાં લય પામે છે. આ “પાપ” તે છે પણ અભિi તે છે વેતકેતુ! આપણું શોધનું છેવટનું ઝીણામાં ઝીણું રૂપ છે. એ ઝીણુ પરદેવતાના આત્મા વડે આ સર્વ જગત આત્માવાળું એટલે સચેતન છે. તે સત્ય છે. “તે આત્મા તું છું.” (ાન્ય ૬-૪.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy