SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એટલો બધે બહાળે છે કે ચાવજીવન અભ્યાસ કરનારને તે તૃપ્તિ -આપે તેમ નથી, પરંતુ તેના પુનઃ પુનઃ અભ્યાસ વડે તેમાં સમાયેલાં સનાતન સત્ય પ્રતિભામાં સ્કુટ થઈ શકે છે. સમગ્ર વેદાર્થને સાર • યજ્ઞ અને બ્રહ્મ-એ બે શબ્દોમાં સમાઈ જાય છે. તેમાં દેવતાને ઉદ્દેશીને પ્રિય પદાર્થોનું વિતરણ કરવું તે યજ્ઞ અને તે વડે ચિત્તશુદ્ધિ દ્વારા જે તવને આત્મરૂપે ઓળખવું તે બ્રહ્મ. યજ્ઞ કેવલ વિચાર કરવાથી સિદ્ધ થઈ શકતો નથી, પણ અનુષ્ઠાનની અપેક્ષા રાખે છે; બ્રહ્મ કેવલ કર્મ વડે પ્રાપ્ત થઈ શકે તેવો પદાર્થ નથી, પણ શ્રવણ, મનન, નિદિધ્યાસનરૂપ વિચારશ્રેણીની અપેક્ષા રાખે છે. | સર્વ નદીઓને આશ્રય જેમ સમુદ્ર છે, તેમ સર્વ દેવોને આશ્રય નારાયણ અથવા પરમેશ્વર છે. તેથી જ્ઞ હૈ વિષ્ણુ - યજ્ઞ ખરી રીતે વ્યાપક પરમાત્માનું પ્રત્યક્ષરૂપ છે. આ યજ્ઞના - અનેક પ્રકારે વેદમાં વર્ણવ્યા છે, અને તે તે કામનાની સિદ્ધિને - અર્થે તે તે યજ્ઞોનાં અનુષ્ઠાન છે. વેદમાં નાના મોટા ય વર્ણવ્યા છે, માટે તે બધાએ આપણે કરવા એ વેદનું તાત્પર્ય નથી. વેદમાં આવેલા પશુમેધાદિ યજ્ઞ આ જમાનામાં જુગુપ્સા ઉત્પન્ન કરે તેવા છે. પરંતુ જી કેવી કેવી સાંસારિક કામનાને વશવતી કર્મો કરવા પ્રેરાય છે તેનું એતિહાસિક સત્ય ચિત્ર તેમાં છે. રાગ ષથી હણાયેલા છએ નિયમવિધિને વશવર્તી અહિંસા ક્રમપૂર્વક શી રીતે સાધવી તેની વ્યવસ્થા વેદવાદી વિચારકેએ કરી છે, અને તેમણે પશુયજ્ઞ કરતાં હવિર્યજ્ઞ ચઢીઆતો છે, અને હરિયંસ કરતાં - જપયજ્ઞ ચઢીઆત છે, અને દ્રવ્યથી થતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ - ચઢીઆત છે, એવું ન્યાયપુરસર પ્રતિપાદન કર્યું છે. યજનીય પરમેશ્વર સાથે ક્રિયાગ વો સંબંધ કરાવનારી કર્મ અને જ્ઞાનને સાકળના કડીને વૈદિક વિચારક ઉપાસના કહે -- છે. આ ઉપાસનાકાંડ સાથે વિકાને મલ સ નહ છ શ્રૌત, સ્માત અથવા લ ! દયા કર્યા પછી યજકીય ૫ મે - | નામ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy