SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શાસ્ત્રના ૧ શ્રૃંગાર, ૨ વીર, ૩ કરણ, ૪ રિક, ૫ હાસ્ય, ૬ ભયાનક, ૭ બીભસ, ૮ અદ્ભુત, ૯ શાંત એ નવરસ; યોગશાસ્ત્રના ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ, ૫ પ્રત્યાહાર, ૬ ધારણા, ૭ ધ્યાન, અને ૮ સમાધિ એટલા આઠ રસ; ભક્તિશાસ્ત્રના ૧ મનન, ૨ કીર્તન, ૩ ધ્યાન, ૪ સ્મણ, ૫ પાદસેવન, ૬ અર્ચન, ૭ વંદન, ૮ દાસ્ય અને ૯ આત્મનિવેદન–એ નવ રસ; વિષયી જનના ૧ પુષ્પ, ૨ ગંધ, ૩ સ્ત્રી, ૪ શયા, ૫ વસ્ત્ર અને ૬ અલંકાર–એ છ રસ; વિદ્યાપ્રસ્થાનના ચાર વેદ, ચાર ઉપવેદ, ૬ છ અંગો, ૧ મીમાંસા, ૧ ન્યાય, ૧ ધર્મશાસ્ત્ર, અને ૧ પુરાણો મળી અરઢ વિદ્યાના રસ; પેયવસ્તુના ૧ ગૌડી, ૨ માવી, ૩ ઇલ્સની (શેરડીની), ૪ ફલની, અને ૫ ધાન્યની મદિરા મળી પાંચ મઘરસ મળી એકંદર પંચાવન પ્રકારના રસને અનુભવ શાક્તસિદ્ધ સામરણ્યની કલા વડે એટલે ભોગમોક્ષની વ્યવસ્થા વડે મેળવી શકે છે. એમ કહેવામાં આવે છે કે સાંખ્યશાસ્ત્રનાં વીસ જડ તો અને પચીસમા પુરુષમાં જે વગીકરણ થયું છે તે બદ્ધપુરુષને લગતું છે. પુરુષ શબ્દ જ પુરમાં સૂતેલે એવા ભાવને વાચક છે. બંધનના સ્વરૂપની સમજણ પૂરતું સાંખ્યશાસ્ત્ર ઉપગી છે; તે બહુ પુરુષની બદ્ધદશામાં દરેક તત્ત્વ તેને પાંચ પાંચ ભાવમાં બાંધી રાખે છે. ઉદાહરણ તરીકે માયાતત્ત્વના આવરણમાં રહેલે પુરુષગર્ભ ૧ કલા, ૨ વિવા, ૩ રાગ, ૪ કાલ, અને ૫ નિયતિ વડે અલ્પશક્ત, અલ્પજ્ઞ, અલ્પ સુખી, અનિત્ય અને મર્યાદિત થઈ અણુ બની જાય છે; પ્રકૃતિશક્તિ ની છાયામાં પડી ૧ સત્વ, ૨ રજસ, ૩ તમન્, ૪, વિકૃતિ અને ૫ અવિકૃતિ-એવા ગુણ અને તેના પ્રભાવમાં દબાય છે; માતૃવંશની માયાથી અને પિતૃવંશની કર્મજાલથી પુરુષગર્ભ વફ, ધિર, માંસ, * જુઓ મન મોક્ષમાનતિ મન સાધના .... तस्मादयत्नाद् भोगयुक्तो भवेद्वीरः सुधीः (કુરા વસંત. V. 219) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy