SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ અદ્વૈતદર્શન ઉપર ચુસ્ત સનાતન વેદવાદીઓએ પ્રચ્છન બદ્ધપણાને આક્ષેપ કર્યો. આ મુદ્દાઓ નિષ્પક્ષપાત દષ્ટિએ હિન્દુઓએ ખાસ વિચારવા જેવા છે, અને ધર્મે હિન્દુઓને જે આપ્યું છે તેની અવગણના કરવા લાયક નથી. પ્રાચીન સાંખ્યદર્શનની અસર બેહ આગમ ઉપર અને ભગવાન બુદ્ધના જીવન ઉપર થઈ તે પ્રસંગે બ્રાહ્મણેએ બુદ્ધને ભૂમિકા રચી આપી, અને બુદ્ધે ચાર આર્યસમાંદુ:ખસત્ય, દુઃખસમુદયસત્ય, નિરોધસત્ય, અને માર્ગ સત્ય-બ્રાહ્મણના સાંખ્યસિદ્ધાન્તને નામાન્તરે રવીકાર કરી અષ્ટાંગ માર્ગ પતે નવો સ્થા; ત્યારપછી બોદ્ધ ધર્મો વિજ્ઞાનવાદને આશ્રય લઈ આ દશ્ય જગત માયામય છે, અને વિજ્ઞાન જ પરમ સત્ય છે એ સિદ્ધાન્ત શાંકરદાન્તને બદલામાં આપ્યો; ત્યારપછી નિત્યસિદ્ધ ઈશ્વરવાદની એ અવગણના કરવાથી શાંકરદાન્તના નિત્યસિદ્ધ બ્રહ્મવાદે ક્ષણિક વિજ્ઞાનવાદને પાછો હઠાવ્ય, અને બેમતના ગ્રાહ્ય અંશો પિરાણિક હિન્દુધર્મમાં બ્રાહ્મણેએ પ્રવેશ કરાવ્ય; બેહધર્મની સ્વતંત્ર ઉપયોગિતા ભારતવર્ષમાં લય પામી; પરંતુ ભારતવર્ષમાં લય પામવાના સંધિએ બોદ્ધધર્મના નવા મહાયાન શરીરમાં શક્તિવાદે પુનઃ નવું અવતરણ કર્યું, અને તંત્રશાસ્ત્ર ટીબેટ વિગેરે શ્રદ્ધધર્મવાળા દેશમાં ઘણું ફેલાયું. બ્રાહ્મણે અને બેહો વચ્ચે દર્શનશાસ્ત્રમાં અને આચારશાસ્ત્રમાં ઘણું આપલે થઈ છે. જેમ જેમ સાહિત્યનું સંસ્કરણ થતું જાય છે; જેમ જેમ–અશ્વશેષ, (ઇ. સ. ૭૮), નાગાર્જુન (૨૫૦-૩૨૦) અસંગ (૩૧૦-૩૯૦), વસુબંધુ (૩૯૦-૪૫૦), * જુઓ પદ્મપુરાણ વચન—માથાવામછાર જી न्न बौद्धमुच्यते. azil Influence of Buddhism on Vedanta એ નામને આ લેખકને અંગ્રેજી નિબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy