SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ માહિષ્મતીના પુત્ર મહિષ થયા અને તેણે દૈવી પ્રતિ સકામ વાસના કરવાથી તે મહિષાસુરના વધ થયા. પાવાગઢમાં પતાઈરાવળના વિનાશમાં પણ આવી જ ભાવના દાખલ થયેલી જણાય છે. પદ્મપુરાણના આ ખંડમાંથી સમજાય છે કે જે સ્ત્રીએ અખંડ કૌમારવ્રતવાળી રહે તેના પતિ શિવ જ ગણાય છે, અને મનુષ્ય પ્રાણીને તેવી સ્ત્રીઓ પતિ તરીકે સ્વીકારતી નથી. ગુજરાતની ભૂમિમાં શ્રીકુલની અંબિકા, લલિતા, ભાલા, તુલજા ભવાની વિગરે દેવી ઉપરાંત કાલીકુલની દેવીની પણ પ્રતિષ્ઠા ઘણા પ્રાચીન સમયની હાય એમ સમજાય છે. કાલીકુલની દક્ષિણા કાલીની નૈસર્ગિક સ્થાપના પાવાગઢના પર્વતમાં છે. પાવાગઢનું પૌરાણિક નામ પાવકાચલ છે, અને તે વાત જ સૂચવે છે કે આ પર્યંત વડવાનલથી જ્વાલામુખી રૂપે પ્રકટ થયેલા છે. પાવકના અથ અગ્નિ થાય છે. આ પર્યંતની કુદરતી આકૃતિ કાલિકાના યંત્ર જેવી છે, એટલે પંચત્રિકાણાત્મક છે. સ્કંદ પુરાણમાં પાવકાચલ માહાત્મ્ય નામનું પ્રકરણ છે. તેમાં વિશ્વામિત્રે એક જ દેહમાં બ્રહ્મત્વનેા જાયન્તર પરિણામ મેળવવા પ્રકૃતિદેવીની આરાધના કર્યાનુ વધુન છે, અને આદ્યા શક્તિને અનુગ્રહ થવાથી તપસિદ્ધિ થઈ છે. તેમાં પાંડવાશ્વમેધ પર્યંતને પૌરાણિક ઇતિહાસ આવે છે. ત્યાર પછી પૌરાણિક અથવા સાચા ભૌગાલિક ઇતિહાસ મળી આવતા નથી. ગુજરાતના અહિલવાડ રાજ્યસમયમાં વનરાજના મંત્રી ચાંપાએ આ પર્વતને લગતી ભૂમિને આબાદ કરી તે દેશને ગુજરાતના ↑ જીએ: વતામાં તમેતેપુ જુથો શોમનઃ । सर्वासां भगवान् रुद्रः सर्वगत्वात्पतिः स्मृतः । यावत्यस्ता महाशक्तयस्तावद्रपाणि शंकरः । कृत्तिवासास्तु भजते पतिरूपेण सर्वदा ॥ ( પાન ૬, સ્મૃતિજ અ. ૨૦. ી ૧-૨૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy