SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું શુછીનું સિંહાસન પૂર્ણિમાની ચાંદનીમાં મોડી રાત સુધી સંગીતને અપૂર્વ આનંદ માણી રોજ કરતાં મોડેથી ઊઠેલા ભૂપ દધિવાહન જ્યાં દંતધાવનની તૈયારી કરે છે ત્યાં તે પહેરેગીરે ગત રાત્રીના બનાવની ખબર આપી. એ સાંભળતાં રાજાના મગજની ગરમીને પારે પૂરી ડીગ્રીએ પહોંચ્યો. નારીજાતિના ગૌરવ પ્રત્યે બહુમાન ધરનાર રાજવી, પ્રથમ રાણું પદ્માવતીના સમાગમમાં આવ્યા પછી અતિશય વિશ્વાસુ બન્યો હતો. એ વર્ગની પ્રેમાળ દશા અને પવિત્રતા સંબંધમાં એ કદી પણ શંકાશીળ થતો નહીં. આવો વિશ્વાસ નરજાતિ પ્રત્યે એને હતો. મહેલના કમરામાં, આજારી સ્થિતિ અનુભવતી પોતાની પ્રેયસી પર બળાકારના હુમલાની વાત સાંભળતાં જ એના ગુસ્સાએ માઝા મૂકી. એ બળાત્કાર કરવામાં પોતે જેને માટે ગૌરવ લે છે એવા શેઠ સુદર્શન છે એ વાતને ખ્યાલ કર્યા વિના હુકમ કર્યો. જાવ, સત્વર એ ગુન્હેગારને નગરમાં ફેરવી સૂળી પર ચઢાવી દો.” રાજા, કાનના કાચા અથવા તો રાજા વાજા અને વાંદરા; કેાઈ વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy