SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩. શળીનું સિંહાસન નહીં પાધરા. એ આવા ઉતાવળીઆ પગલા પરથી જ સરજાયેલી કહેવતો છે. ચંપાના રાજમાર્ગ ઉપરથી રાજસેવકે સુદર્શન શેઠને બંધનમાં જકડી, મનમાની ઠેકડી ઉડાવતાં શળી સ્થાન પર લઈ ચાલ્યા. માટે સમુદાય કૌમુદી માણવા ગયેલ હોવાથી શહેરમાં આ દશ્ય નિરખનારી સંખ્યા ઝાઝી નહતી. એમાં ઘણા ખરા તો “આ પવિત્ર અને સદાચારી શેઠ આવું કરવા જાય જ નહી” એમ હદયથી માનતા અને સાથીદારના કાનમાં ધીમેથી કહેતા. “ભાઈ ! જરૂર દાળમાં કાળું છે. તે નિર્દોષ જ છે.' જવાબ મળતો કે વાત કહાડી નાંખવા જેવી નથી પણ સત્તા આગળ શાણપણ શા કામનું ? આ તો રાજવી જીતશત્રુ ! તૂટે તે રાજ દઈ દે નહીં તે ખેદાનમેદાન કરી વાળે ! અસત આચરણ પ્રત્યે એની ચીડ જાણીતી છે.” શેઠ ભાર્યા મને રમાના કાને વાત આવી ચૂકી હતી. પિતાનો સ્વામી પ્રપંચનો ભોગ બને છે એવી તેણીને પાકી શ્રદ્ધા હતી. છતાં બનાવ એવી રીતે બની ગયો હતો કે એના અંકેડા હાથ આવતા નહતા. “ દુનિયા દેરંગી છે” એ જનવાયકા સાચી છે. થોડાક એવું પણ છડે ચોક બેલતાં– જુવો આ ધરમના ઢીંગલા. ડોળ ધર્મકરણનો રાખી પછીથી કેવા કૂડા કામો આચરે છે. કહેવાય ધર્માત્મા, પણ ચરિત્ર જોઈએ તે સડેલા ! પાકા દંભીઓ ! ! ” આવું સાંભળી આ પતિવ્રતાનું દિલ બળી જતું. પતિના શિરે એક તે ખોટું આળ, અને એ ઉપરાંત પવિત્ર આહંત ધર્મ ઉપર બેતાનું ! પુત્રો ઉત્સવમાં ગયા હતા. એમના કાને આ વાત નાખવા જ્યાં અનુચરને હાકલ કરે છે ત્યાં તે દ્વાર આગળથી પસાર થઈ રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy