SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વ=પોતાના આત્માને જાણવાથી નિભય થવાય છે, માટે તે જ જાણે. વસિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ! તમે ખૂબ તપ કરે, પૂજા પાઠ કરે, જપ કરે, તીર્થયાત્રા કરે, નગ્ન ફરે, હિમાલયની ઠંડી સહન કરે કે કેવળ પાંદડા ખાઈ જીવે પણ મનના સંકલ્પના ત્યાગ વગર તમને શાંતિ નહિ મળે. તમો આત્મારૂપે બ્રહ્મ જ છે. ચિત્તસ્ય તસ્ય ક્ષયત કેવલાત ચિત પ્રકાશ્યતા એટલે ચિત્ત–મનને બદલે ચિત્ ચૈતન્ય તમે છે, તે સમજે તે જ શાંતિ થશે. મને નિવૃત્તિઃ પરમ શાંતિઃ મનની નિવૃત્તિ તે જ શાંતિ છે. (કાશીપંચક) મનના નાશ માટે સાધન વૈરાગ્ય છે. શ્રી બુદ્ધ, મહાવીરસ્વામી, શંકરાચાર્યજી વિગેરે આ જ વાત પ્રથમ કહે છે. The relaxation of mind is much more important than the concentration of mind. અર્થ મનને એકાગ્ર કરવા કરતાં, હું મન નથી તેમ માની તેને છુટું કરી દેવું તે જ જરૂરી છે. ગેપીનું વસ્ત્રાહરણ બધી ઉપાધિ છેડવી. ઉન્નતિના ચાર પગથિયા - (૧) Abandon all desires-બધી ઈચ્છાઓ છેડો. (૨) Know Atma as Brahma-આત્મા જ બ્રહ્મ છે તેમ જાણે. (૩) Mind will be choiceless-મન ઈચ્છા વિનાનું થશે. Enjoy Perfect happiness-સંપૂર્ણ સ્વરૂપ સુખ ભોગવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy