________________
છ માટે દેશવિરતિ ધર્મ આદરવા ગ્ય છે. તે દેશવિરતિ પાંચમું ગુણસ્થાન છે એટલે આધ્યાત્મિક વિકાસનું પાંચમું પગથીયું છે, અને તે પાંચમા ગુણસ્થાનની આરાધના બકે સાચા શ્રાવક ધર્મની આરાધનામાં સહાયભૂત થવા માટે આ-દેશવિરતિ ધર્મારાધક સમાજ સ્થપાયે છે. હવે જેઓ સર્વવિરતિ જ્યાં લગી ગ્રહણ ન કરી શકે તેવા માટે તે ગ્રહણ કરવાની શક્તિ મેળવવા શુધ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી ભવભ્રમણના ફેરા ટાળવામાં સહાયભૂત શાસ્ત્રવિહિત ધાર્મિક અનુષ્ઠાને અને કિયાઓને જીવનમાં ઉતારી સમ્યકત્વની શુદ્ધિપૂર્વક કર્મની નિર્જ કરવા માટે શ્રી દેશવિરતિ ધર્મનું આરાધન એ પરમ ધર્મ છે. આ દેશવિરતિ ધર્મને જ્ઞાન અને ક્રિયાને ધર્મબંધુઓમાં ફેલાવો કરે અને ધર્મસ્નેહની વૃદ્ધિ કરવી એવા મહાન અને પવિત્ર ઉદ્દેશથી સ્થપાયેલ આ સંસ્થાને મૂળ હેતુ-જૈન બાળજીવોમાં ધાર્મિક સંસ્કાર જીવનની શરૂઆતથી જ પાડવા માટે-શ્રાવકોના બાર વતેમાંનું નવમું સામાયક વ્રત આચરી શકાય તે માટે “ સામાયક રહસ્ય” નામનું પુસ્તક પ્રથમ બહાર પાડવા પ્રેરાયા છીએ. આ પહેલાં દેશવિરતિ રામાજે એકાદ બે પુસ્તકે પ્રસિદ્ધ કરેલ છે. તેમજ ધાર્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ ભરવા અને જ્ઞાનને ફેલાવો કરવા અમારા સમાજ ચૂક નથી. - આ દેશવિરતિ સમાજ સંવત ૧૯૮૧ માં સમાજના ત્રણ ધર્મ ધગશવાળા મુરબ્બીઓ વકીલ નંદલાલભાઈ, જામનગરનિવાસી નગરશેઠ સંઘવી પોપટલાલ ધારસીભાઈ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com