SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. સત્તા નથી રાખતા, એ શું કેઈથી અજાણ્યું છે. આ બધું શાથી બન્યું ? નિર્નીયતાથી. આજે સમાજ છિન્ન છિન્ન થઈ ગયા છે. નથી કેઈ કઈને કહી શકે તેમ, કે નથી કઈ કેઈનું માની શકે તેમ ? જૈન સંઘમાં–જેન સમા જમાં હમેશાંથી સાધુઓનું પ્રાધાન્ય સ્વીકારાતું આવ્યું છે. પ્રાચીન ઇતિહાસ તપાસતાં સામાજિક, ધાર્મિક કાર્યોમાં સાધુઓ-આચાર્યોના આધિપત્ય નીચે વિચારે પરામ થયા છે. વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ એજ આચાર્યો અને સાધુઓ આજે સમયના શત્રુ થઈને શાસનની–ધર્મની અપભ્રાજના થાય એવાં કાર્યો કરે, તે પછી એઓને પ્રભાવ કેમ પડી શકે? એજ આચાર્યો અને સાધુઓ આપસમાં મળીને સમાજેસ્થાનના વિચારો ન કરે, બલ્ક. ધંધુરાય વાળી કહેવતને ચરિતાર્થ કરતા હોય તે એમના ઉપદેશથી જનતાને શાંતિ કેમ મળે? મતલબ કે–જેનસમાજ “એક સંઘ” છે. “સંઘ ” એ પચીસમા તીર્થકર સમાન છે, એનીજ સત્તા આજે ગબડી પડી છે. તે પછી એ સમાજના પતનને બીજે વિચાર કર, એ મૂળને છેડી ડાળાં પકડવા જેવું જ ગણાય. અતએ આવી પતન અવસ્થામાંથી ઉદ્ધાર કરવાની ભાવના જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિની થવી જોઈએ. આ સબંખી જેન આચાર્યો અને સાધુઓએ પણ દિીર્ઘ વિચાર કરવાની જરૂર છે. પિતાના મમત્વ–દુરાગ્રહના કારણે જૈનધર્મ નિંદાઈ રહ્યો છે, એ લક્ષ્યમાં લેવાની જરૂર છે. પોતાના માટે નહિ, પરંતુ કેવળ જૈનધર્મની ખાતર ૨૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy