SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જાગે ! આપણે જઈ શકીએ, હવે તે સમય નથી રહ્યો કે બીજાની હામે હે વિકાસી બેસી રહેવાથી આપણું દરિદ્રતા દૂર કરી શકીએ. બીજાના ઉપર આધાર રાખનાર, લાકડીના ટેકે ચાલનાર, બીજાની સ્વામે મહીં વિકાસી બેસી રહેનાર જાતિ કે સમાજ જીવિત ન રહી શકે અને તેણે જીવવું પણ ન જોઈએ. જૈનજાતિ અત્યાર સુધી જીવિત છે, એનું પ્રધાન કારણ તેનું સ્વાશ્રયપણું જ છે. કદિ પણ જૈનસમાજે પરાધીનતા ભોગવી નથી. વ્યાપારમાં કે રોજગારમાં, ક્રિયામાં કે કાંડમાં, ધર્મ કે સાહિત્યમાં જૈનસમાજે પોતપોતાનાં પ્રબલ સાધને ઉભાં કર્યાં હતાં, બબ્બે ત્યાં સુધી કહેવું અત્યુક્તિ ભરેલું નહિ કહેવાય કે-જે કાર્યો બીજાઓ જોતા કરી શકયા, તે કાર્યો જૈન-જૈનમંત્રીઓએ જૈન ધનાએ અને જૈન આચાર્યોએ કયાં હતાં. ઇતિહાસનાં પૃષ્ઠો આ વાતને દઢતાથી પુરવાર કરે છે. તેનાં દકાન્તો ટાંકી અહીં લાંબુ કરવાની જરૂર નથી. સમયે સમયે તે બધું પ્રકટ થતું જ રહેશે. પ્રસ્તુતમાં માત્ર એટલું જ કહેવાનું કે, જૈન સમાજને તે સમય સ્મરણમાં લાવી જૈન આચાર્યો-ઉપાધ્યાયપ્રવર્ત કે-પંન્યાસ અને વિદ્વાન મુનિરાજે તથા સમાજના અગ્રેસરેએ જાગ્રત થવાની અને જનતાને જગાડવાની જરૂર છે. પ્રથમ યુવકવર્ગે જાગવાની જરૂર છે. ધાર્મિક આસ્તક્તા અને ક્રિયાભિરૂચિતા પૂર્વક યુવક વર્ગ જાગીને જૈનસમાજને જગાડે તે તે ઘણું કરી શકે તેમ છે. મુશ્કેલીઓ તે શામાં નથી આવતી? પણ તે મુશ્કેલીઓની હામે થઈ-ધીરતા અને શાન્તિ પૂર્વક પોતાનું મીશન આગળ વધારવાનું લક્ષ્ય ન ચૂકવું જોઈએ. જો કે કેટલાક યુવકે જાગ્યા છે ખરા, પણ તેમાંના કેટલાક મેડા જાગવાના કારણથી કે ગમે તે કારણે એવા તે ગભરાયલા જાગ્યા છે, કે તેમને વેગ આશાતીત વધી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તે જેનસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy