SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીના ઇતિહાસ બંધાએલા હેાય છે. વળી આ રીતે વારંવાર વધતી ઓછી પ્રખળતાથી ફાટતી, જ્વાળામુખીની આસપાસની જમીન ઉપર એ પછી એક પડ ખાઝતાં જાય છે સંગે નામના જ્વાળામુખીની આસપાસના પ્રદેશ ૪,૦૦૦ ફુટ જાડા રાખના થરમાં ટાઇ ગયેલા છે. આ થરની અંદર ઝાડપાન, અને પ્રાણી પણ દટાઈ( ગયેલાં છે.5 આ રીતે જ્વાળામુખીથી ઉત્પન્ન થતી ભૂમિના સ્તરામાં એ પ્રદેશને ઈતિહાસ જળવાઇ રહે છે. સુમ્બાવા જ્વાળામુખીમાથી નીકળેલો રાખથી સુમાત્રાના પશ્ચિમ કિનારા ઉપર બે ફુટ જાડા થર બાઝયા હતા. આઈસલેન્ડમાં આવેલેા સ્ક્રેપ્ટર જીકલ જ્વાળામુખી ૧૭૮૩માં ફાટયે તે વખતે એની ધૂળથી હવામાન લગભગ ત્રણ ચાર મહિના સુધી ભરેલું રહ્યું હતું અને ૬૦૦ માઈલ દૂરના પહાડ ઉપરનાં જંગલ એ ધૂળ પડતાં તદ્દન નાશ પામ્યાં હતાં. આ ઉપરથી ચેકનું જણાય છે કે જ્વાળામુખીના આસપાસના સેંકડા માઈલના વિસ્તારમાં આગ્નેય પાષાણુ બંધાય છે. એવું માનવામાં આવે છે કે એટ્લા અને વીસુવીઅસ સમુદ્રનાં તળમાંથી ઉપર આવેલા છે અને એ પર્વતાના અત્યારના વિસ્તાર ભીંતરમાંથી નીકળેલાં દ્રવ્યથી જ રચાએલા છે. ભૂમધ્ય સમુદ્રમાં ૧૮૩૧માં ૬૦૦ ફુટ ઉંડે ફાટેલા જ્વાળામુખી એકાએક સમુદ્રની સપાટી બહાર આવી ગયા હતા. એ ફૂટી નીકળેલા ટાપુને ગ્રેહામને ટાપુથી આળખાવેલા છે. થેાડાજ માસમાં સમુદ્રના પાણીથી અને ઉપરને ભાગ ધોવાઈ જવાથી એ પાછા અદ્રશ્ય થઈ ગયે હતા. એન્ડીસના જ્વાળામુખીમાંથી ઉત્પન્ન થયેલી પર્વતની હાર ૪૫૦૦ માઈલ લાંબી છે અને એની અંદર મૃત, જાગૃત અને સુષુપ્ત જવાળામુખીએ આવી રહેલા છે. કેટલીક વાર જવાળામુખી ફાટવાથી જમીન નીચે પણ ઉતરી ાય છે. ૫૮ કેટલાક જ્વાળામુખીમાંથી પાણી અને કાદવ પણ પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળે છે. ૧૮૭૭ માંટે પાક્ષીના ફાટવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy