SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેર છે. મેટાં જ્વાળાફુટ ( eruption ) વખતે મોટા ધગધગતા અંગારા ઘણે ઉંચે ઉડે છે અને એમાંના કેટલાક શિખરમાં પાછા પડે છે જ્યારે બાકીના બહારના ઢોળાવ ઉપર પડે છે. ૧૭૭૯ના વીવીઅમાંથી ઉડેલા તણખા ૧૦ હજાર ફુટ ઉંચે ઉડયા હતા. આન્ટુકા નામના ચીલી દેશના જવાળામુખીમાંથી નીકળતા પત્થરા ૩૬ માઇલ દૂર સુધી ઉડે છે. એવું કહેવાય છે કે કેટાપેક્ષીમાંથી [75]}} std st ૨૦૦ ટન વજનને પત્થર ૯ માઈલ દૂર ફેંકાયા હતા. પત્થર સવાય રાખ અને અતિસૂક્ષ્મ ધૂળ પણ ઘણા જ્વાળામુખીમાંથી નીકળે છે. એ ધૂળ માટાં વાદળ રૂપે આસપાસ પથરાય છે, અને એ એટલી સૂક્ષ્મ અને એટલા જથ્થામાં હોય છે કે કાઈ પણ બંધ પેટી, કે ધડીઆળમાં પેસી જાય છે. માલ ૧૮૨૨માં વીસુવીઅસમાંથી ઉડેલી ધૂળ ૧૦૦ દૂરના પ્રદેશમાં પથરાએલી હતી. ૧૮૭૭માં કાટાપેક્ષીમાંથી નીકળેલી ધૂળનાં વાદળે સૂર્યને ખીલકુલ ઢાંકી દીધા હતા અને એથી આસપાસના પ્રદેશમાં અંધકાર વ્યાપી રહ્યો હતા. ક્રાકાટાઆમાંથી નીકળેલી ધૂળ ૧૭ માઈલ ઉંચી ઉડી હતી અને ૧૫૦ માઈલના વિસ્તારમાં એથી અંધકાર છવાયા હતા. વળી એ' ધૂળ સમસ્ત પૃથ્વીની સપાટી ઉપર કેલાઈ રહી હતી. એ ધૂળને લીધે દરેક દેશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે મનેહર રંગબેરંગી ( દેખાવા જોવાના મળ્યા હતા. ધૂળનાં સાધારણ મેટાં પરમાણુ લગભગ ૭૦૦ માઈલ દૂર સુધી જોવાના મળ્યાં હતાં. પાણીને ધણા ખાણથી એક નળીમાંથી બહાર ફેંકવામાં આવે તે એ સુક્ષ્મબિંદુમાં વહેંચાઈ જાય છે તેમ ભીતરમાંથી પુષ્કળ દબાણથી નીકળતે લાવા અને એવા પદાર્થ જ્યારે બહાર ઓછા ખાણવાળા ભાગમાં નીકળે છે ત્યારે એને માટા કડાકા સાથે સમા રજકણમાં ભુક્કો થઈ જાય છે. જ્યાં લાવા નીકળતા ન હોય તે · જ્વાળામુખીના શંકુ ભીતરમાંથી નીકળેલા પત્થર, અને ધૂળથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy