SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રમનું નિવારણ કર્યું છે. તેમ ન હોત અને ચોથનીજ સંવત્સરી તેઓ કરતા હતા તેમજ હોત તો તેઓશ્રી સીધાજ પ્રશ્ન આ પ્રમાણે મુક્ત કે “હાલમાં આપણે અપર્વ એથમાં પર્યુષણ કેમ કરીએ છીએ?” પરંતુ તેમની ઉત્થાનીકા એ પ્રકારની નથી જ નિશીથ ચૂણિને સ્પષ્ટતમ ધ્વનિ એ છે કે ચામાસી પ્રતિકમણ પૂર્ણિમાએ જ કરવું. વિહાર એકમને કરે અને આ વરતુ સ્વીકારનાર તે આષાઢી પૂર્ણિમાથી ૫૦ દિવસે અને કાર્તિકી પૂર્ણિમાથી ૭૦ દિવસ પહેલાં અર્થાત્ ભાદરવા સુદી ૫ મીની જ સંવત્સરી કરે. પરા પૂર્વથી ચાલ્યા આવતા પર્યુષણ પર્વમાં ફેરફાર તેમને સ્વીકૃત જ હોત તો તેઓ તે ચૂણિમાં ચરિતાનુવાદે ઉપરોકત વર્ણન કરી પછી પરંપરાએ આ પ્રમાણે ફેરફાર થયો છે તે દર્શાવ્યા વિના રહેતજ નહિ. આ ઉપરાંત મુનિ કલ્યાણવિજયજી પોતાના “વીર નિર્વાણ સંવત્ આિર જનકાલગણના,”નામના પુસ્તકમાં કાલિકાચાર્યની તારીખ વીરાત ૪૫૩ જણાવે છે; જ્યારે બીજાઓ તે વીરાત ૯૩ માં હતા એમ જણાવે છે. આ બંને વસ્તુ નો સ્વીકાર કરીને આગળ ચાલીએ તે આપણને સ્પષ્ટ થશે કે ભાદરવા સુદ ૫ ની સંવત્સરી બદલીને ભાદરવા સુદ ૪ ની સંવત્સરી આર્ય કાલિકાચા કરી તે સર્વમાન્ય થઈ હતી કે કેમ? સૌને એ તે વિદિત છે કે શ્રીમાન દેવદ્વિગણિએ છેલ્લી આગમ વાચના વીરાત્ ૯૮૦–૧૯૩ માં વલ્લભીમાં કરી. આમ છે ત્યારે જે કાલિકાચાર્યની તારીખ ૪૫૩ હોય તે તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035211
Book TitlePrashnottar Prakash Part 02
Original Sutra AuthorN/A
AuthorSagarchandraji Maharaj
PublisherGokaldas Mangaldas
Publication Year1932
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy