________________
માટે તેમને આગ્રહ થયો. તે બને શ્રાવકરની વાત મને પણ સુયોગ્ય લાગી અને બહુજ અલ્પ સમયમાં તે બધા જ પ્રશ્ન તથા તેને અપાયેલા ઉત્તરોને એકત્રિત કર્યા.
આ સર્વ પ્રકને વિવિધ પ્રકારના હતા. વિખરાયેલા ફૂલ જેવી આ પ્રશ્નોત્તરી જજે, વ્યવસ્થિત વિષયવાર ગોઠવાય તે જ ગજરા સમ એર શોભા આપે. આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો. છતાં અનેક સ્થળે વિષયની સળંગસૂત્રતા જળવાતી ન હોય તેમ દેખાવા લાગ્યું.
આ ખામીને દૂર કરવા વિષય અનુસાર વિભાજન કરેલ પ્રશ્નસંગ્રહમાં જ્યાં જ્યાં સળંગ વિષયમાં અનુસંધાન તું દેખાયું ત્યાં ત્યાં નવા પ્રશ્નો સ્વયં ઊભા કરી, તેના ઉત્તરે ગોઠવી, પ્રસ્તુત વિષયને પૂર્ણ કરવા કેશિષ કરી અને ૨૩૦ પ્રશ્નનું ૩૦ વિષયમાં ગૂંથન કરીને, યથાશકય ઉપગ રાખી, સુસજજ કરવા મહેનત કરી. આ પ્રશ્ન-ઉત્તરોને સુગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com