SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમલેખ પરિચય –-- કર્યાવરણથી આવૃત જીવનું ભવભ્રમણ અનાદિકાલથી છે. એટલે અત્યાર સુધીમાં એણે કેટલા ભવ (જન્મ) કર્યા એની સંખ્યા હોઈ શકે નહિ. જ્યાં પહેલે ભવ જ ન હય, જન્મધારણની શરૂઆત જ ન હોય ત્યાં અનાદિ ભવપરંપરાના પ્રવાહમાં દેહધારણના પ્રથમ ઉપક્રમ જેવું હોઈ શકે નહિ. કઈ સકર્મક જીવ દેહ-ધારણ વગર કદી રહે તે જ નથી. અહન, જિન, તીર્થકરના પૂર્વભવનું વર્ણન કયા ભવથી શરૂ કરવું એ વિચાર ઉપસ્થિત થતાં, જે ભવમાં એ આત્માને આત્મવિકાસ (જીવનદષ્ટિરૂપ વિકાસ) પહેલવહેલે શરૂ થયું હોય તે ભવથી શરૂ કરવું યોગ્ય ગણવાથી બધા અહેનતના પૂર્વભવનાં વર્ણન તે ભાવથી શરૂ કરવામાં આવ્યાં છે. આ ધારણ ઉપર, અર્ણન પાર્ષદેવ, જેઓ ઈ. સન પૂર્વે નવમા સૈકામાં થયા છે, તેમના પૂર્વભવે છેલ્લા દશ વર્ણવવામાં આવ્યા છે. તેમાં પહેલા પૂર્વભવમાં પાર્થ દેવને આત્મા રાજપુરોહિતને “મભૂતિ” નામા પુત્ર હતે. સત્સંગના સુયોગે એ મહાભાગને ધર્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, અને એ સજજનની કલ્યાણસાધન-ભાવના ભગવૈરાગ્ય સુધી પહોંચે છે. કુશલ–સાધનના માર્ગમાં કેવા કેવા પ્રત્યે અણધાર્યા આવી પડે છે એનું નિદર્શન મભૂતિના જીવનમાં પણ જોવાય છે. એને માટે સહેદર “કમઠ' એની પત્ની સાથે અનાચારમાં પડે છે એ જોઈ એ કુપિત થાય છે, અને રાજાની આગળ એ અનાચારને જાહેર કરે છે. રાજા કમઠને શહેરમાંથી નિર્વાસિત કરે છે. આથી કમઠના દિલમાં વૈર ઉત્પન્ન થાય છે, અને એ એના (મભૂતિ) પ્રત્યે પૂર બને છે. એ પૂરતાને, એ વરને કમઠ સંધરી રાખી દરેક ભવાન્તરગતિમાં એને વીંઢારતે ફરે છે. મભૂતિને કાષાયિક પરિણામ (કમઠને અનાચાર જેવાથી ઉદ્ભવ્યો હતે તે) વધુ ન ટકતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035206
Book TitlePrakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherChunilal Ghelachand Kapadia
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy