________________
પ્રા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના
[ ર૯ મંહે ઘરઘરે વિદિ (ધિણી ઘુમયંતા, તિગામિણ ઉછલીર દીસંતિ મંતા; મિલી પામરી ચચ્ચરી દિતી તાલી, રલિયામણું રાતડી રમઈ બાલી. સરઈ ચંદનંતી મણી અમીય-ધારા, હરઈ માણિણ–માણસમાણ-સારા; સસી નિમ્મો સાહુ ચિત્ત વદિત્તો,
ઇમ એરિસો સરિયકાલે નિવો.(કડી ૨૧-૨૨)૨૫ આ શાન્તિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએ સં. ૧૫૬૧ માં લલિતાંગ નરેશનું જીવન વર્ણવતું “લલિતાંગચરિત્ર' લખ્યું છે, તેમાં ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા વૃત્તો વપરાયાં છે, એમ સ્વ. ચિમનલાલ દલાલ નેધે છે, એમ જ હાથપ્રતની પુપિકામાં પણ એ મુજબની નેધ છે. પરતુ પાટણમાં સંઘના ભંડારની હાથપ્રત તપાસતાં એમાંથી એ “વૃત્તોના પ્રયોગ મને જડયા નથી. છતાં એ જ કાવ્યમાં અગ્વિણી, નારાચ અને કુતવિલમ્બિત એ ત્રણ વૃત્તોના પ્રયોગ સાંપડે છે. ત્રીજા અધિકારના અંતમાં નીચે પ્રમાણે પાંચ સ4િણી છે –
બહુ આ ઉચ્છાહ નરનાહ જિયસતુ ઉ, સહુ સયણ સહિય તળે વસંત પરંઉ, દિઅઈ રજૂધ કુમારસ્સ કરાયણે, પત્ત બહુ લેય કાઉહલા લેયણે. દેસ દલસેસ બકુ ગામ પુર પટ્ટણા, ખેડ તસુ રેડ રયણાઈ આગર ઘણ, ગય તુરિય સાહણ યુવરહવાહણ,
બહુ ધણ ધન ભંડાર ભંડહ તણા. ૪૭ ૨૫. મૂળ પાટણ ભંડારની હાથપ્રત ઉપરથી સં. ૧૯૭૧માં કરાવવામાં આવેલી નકલ વડેદરાના પ્રા વિદ્યામન્દિરમાં છે. તેમાંથી પ્રસ્તુત અવતરાણ એ સંસ્થાના જૈન પંડિત શ્રી. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ મારી વિનંતી ઉપરથી મેકલી આપ્યાં હતાં, તે બદલ તેમને આભારી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com