________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૧ કંબન ઘરિ જલ વહિ૩ હરિશ્ચન્દઇ,
ભાંલડિ મરણ લાધુ મુદિઇ. વિરાટપર્વ'માંથી આપેલાં અવતરણોની પંક્તિઓ તથા ઉપર્યુક્ત સુભાષિત વચ્ચે નજીવો પાકફેર છે તે મુકાબલો કરતાં જણાઈ આવશે.
સેળ સકે સોળમા શતકના આરંભમાં સં. ૧૫૦૨ માં ધનદેવગણિનો સુરંગાભિધાન નેમિનાથફાગ” ૧૪ મળે છે. નેમિનાથનું ચરિત્રવૈરાગ્ય પ્રાપ્તિનું છટાદાર વર્ણન આ કાવ્યમાં સંક્ષેપમાં કરેલું છે. એના આરંભમાં તથા અંતે એકએક શાર્દૂલવિક્રીડિત છે. આરંભમાં–
દેવી, દેવિ નવી કવીશ્વરતણી વાણું અમસારણી, વિદ્યા સાયરતારણી, મલાણી, હંસાસણ સામિણી, ચંદા દીપતિ પતિ સરસતી મઈ વીનવી વીનતી, બેલું નેમિકુમાર કેલિની રતિ ફાગિઈ કરી રંજતી. અંતે – સામી કેવલ કામિની કરિ ધરી, રામતી નાદરી, સા સારી નિજકાજ રાજકુમારી, મુગતિઈ ગઈ સા વરી. જે રેવઈ ગિરિરાય ઊપરિ ગમઈ, શ્રી નેમિપાયે નમઈ તે પામઈ સુખ સિદ્ધિ, રિદ્ધિહિં રમઈ, શ્રી શાશ્વતી ભગવઈ.
પ્રભાસપાટણના કાયસ્થ કવિ કેશવદાસનું છન્દોબદ્ધ “કૃષ્ણલીલા કાવ્ય” સં. ૧૫૨૯ માં ૧૫ રચાયું છે. એમાં કવિએ શ્રીમ
૧૪. અપ્રસિદ્ધ હાથપ્રત પાટણ ભંડારમાં. કાવ્યની નોંધ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧. પૃ. ૪૩-૪૪.
૧૫. શ્રી. રામલાલ મેદી, શ્રી. ઠાકોરલાલ ચોકસી વગેરે આ કાવ્યનો રચનસંવત સં. ૧૫૯૨ માને છે. શ્રી. નટવરલાલ દેસાઈએ એ મતનું ખંડન કરવા પ્રયાસ કર્યો છે. આ સંબંધમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની દલીલ માટે જુઓ “ગૂજરાતી’ના ઈ. સ. ૧૯૩૬ ના દીપોત્સવી અંકમાં, શ્રી. મેદી તથા શ્રી. દેસાઈના લેખો. “કૃષ્ણલીલા કાવ્ય ' શ્રી. અંબાલાલ જાનીએ સંપાદિત કરી બહાર પાડયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com