________________
૧૬ ]
પ્રા. ગ્રૂ. સાહિત્યમાં નૃત્તરચના (. વસન્તતિલકા)
ગિઉ કૌરવાધિપતિ સૈન્ય સમસ્ત હારી, ગિઉ પાર્થ ઉત્તર સિંહ મનુ હર્ષ ભારી; આણિ વિરાટ સહુ પાંડવ પૂરિ કીધઉ કવિત્ત તુ કૃતિગિ સાલિર.
(૧૮૨)
પંદરમા શતકમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સામસુન્દરસૂરિએ ઝડઝમકથી ભરેલે ‘ રંગસાગર નેમિકાગ' અથવા નૈમિનાથ નવરસ ફાગ’૧૧ લખ્યા છે. આ પ્રકારની જૈન કૃતિએમાં હેય છે તે પ્રમાણે, શૃંગારનું વર્ણન કરી છેવટે સંયમ અને વૈરાગ્યની સ્થાપના આ કાવ્યના વિષય છે, અને તે માટે કવિએ નેમિનાથના જીવનનું આલંબન લીધું છે. સેામસુન્દરસરને જન્મ સં. ૧૪૩૦માં થયે હતા, દીક્ષાગ્રહણ સં. ૧૯૭૭માં થયું હતું, ઉપાધ્યાયપદ્ સં. ૧૪૫૦માં તથા સૂરિપદ સં. ૧૪૫૭માં મળ્યું હતું, અને અવસાન સ ૧૫૦૧માં થયું હતું. એટલે આ કાવ્ય પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચાયું હાવું જોઈ એ.
ઉપર્યુક્ત કાવ્યમાં વર્ણનની વચ્ચે વચ્ચે એકંદર સાત શાર્દૂલવિક્રીડિત વૃત્ત ગૂજરાતી ભાષામાં આવે છે. જોકે મુદ્રિત પ્રતમાં તે સંસ્કૃત શ્લેાકા તેમ જ આ ગૂજરાતી વૃત્તો ઉપર ‘કાવ્ય ’ એટલું જ માત્ર લખેલું છે. જુઓ—
દંતા દાડમની કલી, અધર એ જાયી પ્રવાલી જિસી, કીજઈ ખંજન ખિ અખિ સરિખા, ધારા જિસી નાસિકા, સારી સીંગિણી સામલી ભહિ ખે, વાંકી વલી વીજુડી, કાલી-કિંમહુના કુમાર કિરએ પીજાŁ લગલગ લડી. —ખડ ૧, કડી ૩૧
૧૧ પ્રસિદ્ધ: જૈન શ્વેતાંમ્બર કોન્ફરન્સ હેરલ્ડ, જુલાઈ-ઓગસ્ટ, ૧૯૧૭ તથા મુનિ ધર્મવિજયજી તરફથી રામામૃતમ્ છાયા નાટકની સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com