________________
૧૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચન સં. ૧૪૬રના અરસામાં “ત્રિભુવનદીપક પ્રબન્ધ' લખનાર પ્રસિદ્ધ જૈન કવિ જયશેખરસૂરિની નવ તૂકની “અબુદાચલવીનતી આખીયે કુતવિલમ્બિતમાં છે. પહેલી બે કડીઓ આ રહી–
કઇય આબુય ડુંગરિ જાઈસિહ૮ ? રિસહ-નેમિ તણું ગુણ ગાઈસિલ ? નમિય સ્વામિય નિર્મલ ભાવસિઉં? ગુણતણિ ગુણિના અડે આવિર્યું? બઉલ વેઉલિ ચંપક માલતી, મહમહઈ ફલિ લિ વનસ્પતિ; અમર સાલ તણું તુલના નહી,
જિન બિન્દુઈ તીંહ માહિ રહિયા સહી. તથા છેવટની ત્રણ કડીઓ
ઘણિ સેત્રુજિ શ્રીસિફેસરે,
ઘણિઉ રેતિ નેમિજિસેસરે; ૭. અપ્રસિદ્ધ: પ્રો. બળવંતરાય ઠાકર, શ્રી. મધુસૂદન મેદી અને શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈના સંયુક્ત સંપાદકત્વ નીચે ગા. ઓ. સી.માં પ્રસિદ્ધ થનાર “ગુર્જરરા સાવલી' માં આ કાવ્ય છપાશે. તેની પ્રેસ કેપીમાંથી અહીં આપેલાં અવતરણો લેવા દેવા માટે શ્રી. મધુસૂદન મેદીનો આભારી છું.
૮. આમાં “ગાઈસિલ ', “ જાયસિ6', “ભાવસિલવગેરેમાં છભંગ જેવું લાગે છે. પણ વસ્તુતઃ તેમ નથી. ‘ભાવસિ” ની સાથે
આવિર્સ્ટનો પ્રાસ મેળવ્યો છે એ જ બતાવે છે કે એનું ઉચ્ચારણ અત્યારે આપણે વાંચીને બોલીએ છીએ તે કરતાં જ પ્ર રે થતું હોવું જોઈએ. “સિ૬ ” અને “ર્યું” એ બેના વચગાળાનું ઉચ્ચારણ થતું હશે એવું મારુ અનુમાન છે. આ અવતરણની છઠ્ઠી કડીમાં “મહમહઈમાં પણ “અ”. ને ઉચ્ચાર “અ” અને “એ” ની વચ્ચે હોવો ધટે. હવે પછીનાં
અવતરણનો વિચાર કરતાં પણ આ મુદ્દો ધ્યાનમાં રાખવા વિનંતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com