SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ १. अज्जुण २. अज्जुण ३. अज्जुण ४. अज्जुण ५. अज्जुण ६. अज्जुण *. अज्जुणअ *. મ. अर्जुन अर्जुन अ. गो अर्जुन . अर्जुन अर्जुन अ. गो अर्जुन ST. ‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨ અર્જુન અર્જુન અર્જુન અર્જુન અર્જુન अर्जुनक मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १ અર્જુન અર્જુનક રાજગૃહીનો માળી. તે અર્જુનક, અર્જુનમાલાકાર અને અર્જુનમાલાર નામે પણ જાણીતો હતો. બંધુમતી (૨) તેની પત્ની હતી. તે મુદ્રપાણિ નામના યક્ષની મૂર્તિની પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે તે પૂજા કરતો હતો ત્યારે પરસ્પરના મિત્ર એવા છ પુરુષોની ટોળકીએ તેની રૂપવતી પત્નીને પકડી લીધી. તેમણે અર્જુનને દોરડા વડે બાંધીને પછી તેની પત્ની ઉપર બળાત્કાર કર્યો. અર્જુન અસહાય બનીને તે દ્રશ્ય જોતો રહ્યો. તેને લાગ્યું કે આ પ્રદેશમાં ખરેખર યક્ષ જેવું કંઈ છે જ નહિ; જો ખરેખર યક્ષ હોત તો આ ઘટના બની જ ન હોત. અર્જુનનો ભાવ જાણીને યક્ષ તેના શરીરમાં પ્રવેશ્યો અને એકાએક દોરડાના ટુકડેટુકડા થઈ ગયા. તેણે મૂર્તિના હાથમાંથી મુદ્ગર લઈને બંધુમતી સહિત સાતે જણને મારી નાખ્યા. હવે તો દરરોજ એક સ્ત્રી સહિત સાત જણને મારી નાખવાની તેને આદત પડી ગતિ. લોકોએ તે માર્ગેથી પસાર થવાનું બંધ કરી દીધું. એક વાર મહાવીર રાજગૃહી નગર બહાર આવ્યા. મહાવીરના દર્શન કરવા જનારને અર્જુને રોકેલા રસ્તેથી જ જવું પડે તેમ હતું. તે રસ્તે ન જવાની વિનંતી અને પ્રતિબંધોને ગણકાર્યાં વિના મહાવીરના ચુસ્ત ભક્ત સુદર્શન(૮) તો મહાવીરના દર્શન કરવા નીકળી પડ્યા. અર્જુને સુદર્શનને મારવા માટે મુદ્ગર ઉગામ્યુ તો ખરુ પણ તે અર્ધર જ રહ્યું, આક્રમણ નિષ્ફળ થયું કેમ કે યક્ષે અર્જુનનું શરીર છોડી દીધું હતું. સુદર્શનથી અત્યંત પ્રભાવિત થયેલો અર્જુન પણ સુદર્શનની સાથે મહાવીર પાસે ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળી તેણે સંસાર છોડ્યો અને છેવટે મોક્ષ પ્રાપ્ત કર્યો. હસ્તિનાપુરના પાંડુરાજનો પુત્ર. તે કૃષ્ણ(૧)ની બહેન રક્તસુભદ્રાને પરણ્યો હતો. અભિમન્યુ તેનો પુત્ર હતો. ‘પાંડવ' પણ જુઓ, સુધોસ(૫) નગરનો રાજા, તપ્તવતી તેની રાણી હતી. ભદ્રનંદી(૪) તેમનો પુત્ર હતો. રૂપસૌન્દર્યના રાગને કારણે જીવ ગુમાવનાર ચોર, તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાના એક શ્રમણ. જે પાછળથી ગોશાળાનો શિષ્ય બન્યો. તેનું પૂરું નામ છે અર્જુન ગોમાયુપુત્ર. છઠ્ઠું મૃત શરીર જેમાં ગોસાલકના આત્માએ પ્રવેશ કર્યો હતો તે આ અર્જુનનું હતું. આ અર્જુનનું પૂરું નામ અર્જુન ગૌતમપુત્ર હતું. આ અને અર્જુન(૧) એક જ છે. પૃષ્ઠ- 25
SR No.035091
Book TitleAgam Buhat Nam Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2020
Total Pages250
LanguageSanskrit, Hindi
ClassificationDictionary & agam_dictionary
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy