SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પતંગપુરાણ [ અધ્યાય બીજાના કનકવામાં પિતાના કનકવાની દેર હારરૂપે ભેરવે છે; એટલે કે હાથ મારનારની માફક તે નીચલા પેચ ન લેતાં ઉપલા પેચ લે છે. સરતીના પિચની શરત કર્યા પછી અધવચ હાથ મરાય નહિ તેમ છતાં કેટલાક તેમ કરે છે. વળી કોઈ પણ જાતની શરત ન થઈ હોય તે બેમાંથી જેને હાથ મારતા આવડતું હોય તે લાગ જોઇને સામાને કનક સ્થિર જતા હોય ત્યારે અધવચ હાથ મારે છે અને તેમ કરી સામાના કનકવાને ભરદેરીએ કાપી નાંખે છે. સરતીના પેચ ચાલતા હોય છે ત્યારે કેટલીક વાર બંનેના કનકવા સ્થિર જાય છે. આવે વખતે કેને કપાશે તેને પ્રથમથી નિશ્ચયાત્મક ઉલ્લેખ કરવો મુશ્કેલ છે, પરંતુ જે એકને કનક સ્થિર જતો હોય અને બીજાને લોટ જેતે હેય તે જેને કનક લેટ જાતે હોય તે જ્યારે ભપકે મૂકીને-જેટલી દેરી કનક ઝીલતે હેય તેનાથી વધારે દેરી છોડીને પિતાના કનકવાને સ્થિર કરી ઉઠાવવા જાય ત્યારે સહેજ પણ ભૂલ થતાં તેને કપાઈ જવાનો સંભવ રહે. છે; પરંતુ જે એ બરાબર ઉઠાવી શકે અને કનકવાને જેસપર લાવી શકે અને એવે વખતે જેને કનક સ્થિર જતો હોય તે પિતાનો કનકવો જરા પણ લાવે નહિ તે તેને કનો કપાઈ જવાનો ભય રહે છે. સરતીના પેચમાં એકને કનકા સ્થિર જતો હોય અને બીજાને ભેટતો જતે હોય અને તે ધીરે ધીરે લટકી પડશે તેમ જણાતું હોય ત્યારે જેને કનક સ્થિર જ હોય તે ઠસાવી ઠંસાવીને દેર મૂકે છે એટલે કે ધીરે ધીરે આંગળીના ટેરવા ઉપર દેર મૂકે છે અને તેમ કરીને સામાના કનકવાને વધુ ને વધુ લટકાવી દે છે. આગળ જતાં તે તાન કમજોર બનતાં કપાઈ જાય છે. કોઈક વાર એ લટકી પડેલે કનક કઈ છાપરા વગેરેમાં ભેરવાઈ જાય છે, પરંતુ એ કપાઇ ન જાય ત્યાં સુધી સામા માણસે દેર મૂકવી જોઈએ. વળી કોઈક વાર લટકી પડેલા કનક્વાને કાઈ પકડી લે છે એ વખતે શું કરવું તે વિચારવું ઘટે. પેચ લેતી વેળા ઘણુંખરું આપણને આપણે કનક કતરાવવો પડે છે; પરંતુ વધારે પડતાં કપવન પર લઈ જવાથી એટલે કે જે દિશાને પવન ન હોય તે દિશામાં લઈ જવાથી એ કમજોસ બને છે. આ પ્રમાણે કપવન પર લઈ જઈને જો આપણે ઉ૫લા પેચ લીધા હેય અને એવે વખતે નીચલા પચવાળો આપણું કનકવાને ખેંચી કાઢે કે ઠસાવી ઠસાવીને દેર મૂકી આપણું કવકવાને સપવન પર આવવા નહિ દે એટલે કે જે દિશાને પવન હેય એ દિશા તરફ આવવા ન દે તે મેટે ભાગે આપણે કનક કપાઈ જાય. ભોગજોગે આપણે કનક સપવન પર આવી જાય ત્યાં સુધી પેચને નિકાલ ન થયા હોય તો પછી આપણો કનકવો ન કપાતાં સામાન પણ કપાય. જે કપવન પર લઈ જઈને નીચલા પેચ લીધા હેય તે એ કપાઈ જવાને ઓછો ભય રહે છે. વળી એ કનકે નીચાણમાં લઈ જવાથી પેચ છોડી પણ નંખાય છે અને એમ બે ત્રણ વાર કરાતાં એ સપવન પર આવી જાય છે અને એટલામાં તે દેરી નહિ મૂકવાની ઇચ્છાવાળા અન્યના કનકવા સાથે સહેલાઈથી પેચ લેવાય એવી સ્થિતિ ઊભી થાય છે. કપવન ઉપર કનકવો લઈ જઈ સામાના પેટમાં ઘુસી એને કનકવો ખેંચી કઢાય, પણ એ જે એ સમયે ઊભો ન રહી ગયો હોય તે કપાય નહિ અને મેટે ભાગે આપણે જાય. કેટલીક વાર પાછળવાળો આગળવાળાના કનકવા સાથે તે ચગ્યો ન ચગ્યો ને તેના પેટામાં ઘુસી તેને પિતાના જેદાર કમકવા વડે લટકાવી દે છે. તેમ કર્યા બાદ તે જે બિલકુલ કે પૂરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035000
Book TitlePatang Puran Yane Kanakvani Katha Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal Rasikdas Kapadia
PublisherHiralal Rasikdas Kapadia
Publication Year1938
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy