SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પતંગપુરાણ [અધ્યાય ધાબા દેખાઇ આવવા સંભવ રહે છે. આ પ્રમાણે માંજે બનાવવા ઉપરાંત એક બીજી રીતે પણ “મા” બનાવાય છે. એને “રગડાને માંજો'કે “ડવાને માંજો' કહે છે. એ બનાવવાની રીત નીચે પ્રમાણેની છે – રગડાને માંજો બનાવનાર હાંલ્લામાં પાણી ભરી એને ઉકાળવા મૂકે છે. એમાં તે ચૌદ આની નિસાસ્ત તે એક આની સરસ નાંખે છે. એ એકરસ થતાં એમાં તે થોડો થોડે કાચ નાંખતે જાય છે. રંગીન માંજ કરનાર રંગ ઉપરાંત ચીચોડાના છોડાને ખાંડી તેને ભૂકો તેમ જ એક જાતના પત્થરને ભૂકે કરી તે પણ એમાં નાંખે છે, કેમકે તેમ કરવાથી એ રંગ પાકે બને છે અને કાચ પણ દેરી સાથે સરસ રીતે ચૂંટી જાય છે. અમુક જેસ આવ્યા બાદ પેલું હાંલ્લું ઉતારી લેવાય છે અને એમાં અથવા તે એમાંથી થોડાક રગડે લિપ્ટનના ડબ્બા જેવા કાઈ પાત્રમાં કાઢી તેમાં રીલ બેવવામાં આવે છે. એ રીલ બરાબર ફર્યા કરે તેવી વ્યવસ્થા કરી રીલની દોરીના આંટા એગ્ય સ્થળે ભેરવાય છે, અને તે બરાબર સૂકાઈ રહેતાં પરતી પર ઉતારી લેવાય છે. કેટલાક બપોરની વખતે જ્યારે આસપાસ કનવા ચગતા ન હોય ત્યારે કનક જ સીધે આ રગડામાં બોળેલી દેરી ઉપર ચગાવે છે અને એ રીતે માં જે સૂકાવે છે. આ રગડાને માંજે સારે બને તેને આધાર દેરીની ચીપટી પકડનાર ઉપર રહે છે. જે તે વધારે પડતી પિલી ચપટી રાખે તે માંજે કરગરે બને. ભાવ–અસલ બાર રીલેનું એક બસ આઠ આનામાં ઘસાતું. આજે તેને ભાવ વળે છે. ગેંડાના એક બૅક્સને રૂપિયે અને કિસનના એક બૅક્સને સવા કે દેઢ રૂપિયા લેવાય છે. માંજની પરીક્ષા–માં એકદમ લીસે કે એકદમ કરગરે ન પસંદ કરે; કારણ કે એકદમ લીસા માંજ વડે સામાની દેર ઉપર કાચના અભાવે ઘસર પડે નહિ એટલે એ કપાય નહિ; અને જે મજે એકદમ કરગર હોય તે તે પેચમાં સરે નહિ તેમ જ એને કાચ ઉખેડવા જતાં ત્યાં કુત્તિ પડે. ઉદરે ચાંચ મારી હેય તેવો અથવા કોઈ કોઈ ઠેકાણે કુત્તિ પડી હોય તે કે કુત્તિયલ દેરીને માં જે હોય તે તે ખરીદવો નહિ. ૧ ઘઉને પલાળ તેને કોહવડાવ્યા બાદ તેને પીસીને તેનું દૂધ કાઢી એ સૂકવાતાં એને નિસાસ્ત બને છે. એ નિસાસ્ત કપડાંને અસતરી કરવામાં તેમ જ હલવો બનાવવામાં વપરાય છે. હાલમાં એ આ શહેરમાં ચાટે તેમ જ સલાબતપરે મળે છે. એ માંના માટે વાપરવાથી માંનામાં ચીકાશ અને સફેતી આવે છે. ૨ ગંધકિયા, સોનેરી, વાદળી, ગુલાબી એમ જાતજાતના રંગને આ માજે બનાવાય છે. ૩ ડઓ જેવા પાત્રના લગભગ મધ્ય ભાગમાં સામસામાં કાણું પાડી, તારને એક છેડે એક કાણામાંથી પસાર કરી બહારની બાજુએ વાળી બાકીના તારને અંદરથી વાળી તેને રીલનાં સામસામેનાં છિદ્રમાંથી પસાર કરી અને બીજે છેડે પાત્રના બીજા કાણામાંથી પસાર કરી બહારથી વળાય છે. આ એક જાતની વ્યવસ્થા છે. ૪ સંસ્કૃત શબ્દ " કરીને “ક” પ્રત્યય લગાડતાં જે શબ્દ બને છે તે ઉપરથી “કરકરે' અને તેના ઉપરથી “કરગર’ શબ્દ બન્યો હશે એમ લાગે છે. “કરકરો’ શબ્દનો અર્થ “ઝીણી કાંકરી જે લાગત” ને “બરછટ” થાય છે. કરગરા માંજા ઉપર હાથ ફેરવતાં એને કાચ ખૂંચે છે-એ લીસે હેત નથી. ૫ દેરીમાં પડતે કાપે કે ખાડે “કુત્તિ' કહેવાય છે. કેટલાક એને “દત્તિ' કહે છે. એ ભાગ આગળથી દેરી તૂટવાને સંભવ રહે છે. ૧ સહેલાઈથી તૂટી જાય તેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035000
Book TitlePatang Puran Yane Kanakvani Katha Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal Rasikdas Kapadia
PublisherHiralal Rasikdas Kapadia
Publication Year1938
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy