SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિગત સ્વતંત્રતા અને ઉચ્ચ ભાવ રહેલું છે તે કરવેરા આપવામાં રહેલો નથી. જે કાર્ય કરવેરા દ્વારા આજે યુરોપના દેશે બજાવે છે, તેવું જ કાર્ય હિંદમાં ઐચ્છિક દાન દ્વારા બજાવાયા એ દાનપ્રણાલીના ઉપદેશકેને હેતુ હતો. પરંતુ આપણે જોઇએ છીએ કે આજે એ હેતુ પૂરે થતો નથી. દાન પાછળની આધ્યાત્મિક દૃષ્ટિના અતિરેકથી આપણે દેશ પીડાય છે, ત્યારે નરી સ્થૂળ દૃષ્ટિથી પાશ્ચાત્ય દેશો પીડાય છે, એ બેઉના એકીકરણને જ આપણે યત્ન કરવો જોઈએ છે. એટલે કે દાનપ્રભુલીને એવા ધોરણ પર મૂકવી જોઈએ કે જેથી ઉપયોગિતાવાદની દષ્ટિએજ પ્રત્યેક દાનને ઉપયોગ થાય. સ્વલ્પ હિત અને વિશેષ અહિત થાય તેવી રીતે દાનનો ઉપયોગ ન થવો જોઈએ. પૂર્વે બ્રાહ્મણે જનતાને કેળવતા, સંસ્કૃતિનું રક્ષણ કરતા, સમાજમાં નીતિને પ્રચાર કરતા, માટે તેમને જીવનનિર્વાહની ચિંતામાંથી મુક્ત કરવા મહાપાષએ દાન આપવાને પ્રબંધ કર્યો. આજે પણ કોઈ કઈ બ્રાહ્મણ દાનને માટે સુપાત્ર હશે, પણ તેથી આખી બ્રાહ્મણ જાતિને દાન ઉપર નિભાવવાનો કે તેમને સુસ્ત બનાવવાને બજે સ્વલ્પ હિત અને વિશેષ અહિતકારક હોઈ દાનને અપવ્યય લેખાય. સંક્ષેપમાં કહીએ તે દાનને વધારેમાં વધારે બદલે પ્રાણીસૃષ્ટિને તથા જનસમાજને મળે અને અર્થશાસ્ત્રીય ધોરણે પરસ્પર અદલા-બદલાના નિયમ મુજબ સૃષ્ટિ તથા સમાજને સમતોલપણે નિભાવ થાય તથા પ્રત્યેક આત્માને વિકાસની સીડી પર ચડવામાં અનુકૂળતા મળે એ પ્રકારે દાનની પ્રણાલીની નવેસરથી ઘટના કરવી જોઈએ. એ સિવાયનું દાન, ધન તથા શક્તિને નિરર્થક વ્યય કર્યા બરાબર છે. પરતુ દાનની ધારાને સૂકવી નાંખનારાઓએ એક વાત સમજી લેવી જોઈએ. દાનમાં તેઓ પુણ્ય માનતા હોય કે ન માનતા હોય પણ દાન વિના સુષ્ટિને નિભાવ થઈ શકવાને નથી. અનેક ફૂલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કરવ મહાપા માટે સુપાત્ર તે સુસ્ત બનાવ
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy